SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ , ૧૦૦ દષ્ટિ ભૂતકા સરજાયેલી સ હોવા છતા અને મનુષ્યની સામાન્ય સ્થિતિ ઉપરથી લોકોત્તર સ્થિતિને આદર્શ સજે છે. ભૂતકાળના પયગંબરો વિષે પ્રસ્તુત સમ્યગ દૃષ્ટિ આ પ્રકારના ખ્યાલ ધરાવે છે. આ દષ્ટિ ભૂતકાળની મહત્તા સ્વીકારે છે, કાળે કાળે સરજાયેલી સંસ્કૃતિના સૂત્રધારેને સત્કારે છે. આમ હેવા છતાં પણ તેનું સત્યદર્શન ભૂતકાળ સાથે જકડાઈ રહેવાની ના પાડે છે. તે ધર્મશાસ્ત્રોને પૂર્વકાળની વિજ્ઞાનવિષયક પ્રગતિના અનુમાપક તરીકે સ્વીકારે છે, પણ શાસ્ત્રસર્જન કાંઈ અમુક કાળ કે અમુક દેશ કે અમુક વ્યક્તિઓને ઈજારે છે એમ માનવાની તે બિલકુલ ના પાડે છે. શાસ્ત્ર હિમાલય પર્વત ઉપર આવેલું કઈ એક પરિમિત માનસ સરોવર નથી, તે જનપ્રદેશ વચ્ચે સદા વહેતી અને અનેક પ્રવાહોને સંઘરતી જતી કલ્યાણવાહિની ગંગા છે. એક સિદ્ધાંત ખોટો પડે અને નવો સિદ્ધાંત શોધાય, આગળની એક શેધ આજની નવી શોધથી ભિન્ન સ્વરૂપને પામે, એક મંતવ્યના સ્થાને બીજું મંતવ્ય આવે. આમ જ્ઞાનવૃક્ષ અનંત કાળ સુધી નવપલ્લવિત થયા જ કરે છે. આ દર્શનના આધારે સમ્યમ્ દષ્ટિ દરેક વસ્તુના સારને ગ્રહણ કરે છે અને અસાર વસ્તુને છોડતો ચાલે છે. માન્યતાવ્યામોહથી તે પર છે તેમજ માત્ર નવીનતાથી તે અંજાતું નથી. તે ભૂતકાળને ટેકે લે છે, ભવિષ્યનાં સ્વપ્ન સરજે છે અને તે તરફ મીટ માંડીને વર્તમાનકાળમાં સંચરે છે. આજકાલ વિચારસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્યના નામે જે ચર્ચા ચાલી રહી છે તેનું સ્વરૂપ પણ બરાબર ગ્રહણ થવાની જરૂર છે. વિચારસ્વાતંત્ર્ય અંદરથી ફુરતું તત્ત્વ છે. વાણી સ્વાતંત્ર્ય બહારથી જણાવેલ સમ્યક દષ્ટિ વિચારસ્વાતંત્ર્યનું ફળ છે. માણસને કોઈ પણ પ્રશ્ન સંબંધે સત્ય વિચાર પ્રાપ્ત થવામાં કેટલાક પૂર્વગ્રહો અંતરાયરૂપ બને છે. જૂનું એ જ સાચું અથવા તે જૂનું બધું બોટ. નવું એ જ આદરણીય અથવા તે શાસ્ત્ર એટલે ગપગોળા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy