SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સુખસંપત્તિના લય થવા માંડે, અકાળે મરણ થવા લાગે, યુગલીયાની જોડી તૂટવા માંડે અને આજની કિલષ્ટ સમાજરચનાની શરૂઆત થાય. બ્રાહ્મણ ધર્મમાં પણ સતયુગની આવી જ કાંઈક કલ્પના કરવામાં આવી છે. ખ્રિસ્તી ધર્મમાં આદમ અને ઈવની વાતે પણ આવાં જ કલ્પનાચિત્રો રજૂ કરે છે. સંપ્રદાય દષ્ટિને મન ધર્મશાસ્ત્ર કાં ા શ્વરપ્રેરિત હોય છે અથવા તો સનપ્રણીત હોય છે અને તેથી ધર્મશાસ્ત્રમાં જે કાંઈ લખ્યુ હેાય તે કદી શંકા કરવા જેવું હોઈ જ ન શકે એમ આ દૃષ્ટિવાળા માને છે. આજે ધર્મના નામે જે રીતરિવાજો, રૂઢિઓ, માન્યતાઓ અને પરપરાએ ચાલે છે તે ભૂતકાળના શુદ્ધ ધર્મપરાયણ યુગનું પ્રતીક હાઈ ને કાઈ પણ ભોગે જાળવી રાખવા યેાગ્ય – ટકાવી રાખવા યેાગ્ય-મનાય છે. આજતી આપણી પડતીનું ખરું કારણ આજની પ્રજાની ધર્માંવિમુખતા છે એમ તેઓ માને છે. દિનપ્રતિદિન વિષમકાળ આવતા જાય છે અને વિનાશ તરફ આપણે સૌ ગતિ કરી રહ્યા છીએ. પાંચમા આરા અને કળિયુગની કલ્પના આ જ મનેાભાવનું સૂચન કરે છે. આમાંથી જે કાઈ ધર્માં કરણી કરશે તે જ માત્ર બચશે આવું તેમનું દુનિયાની વર્તમાન અને ભાવિ પરિસ્થિતિના સંબંધમાં નિરાશાભર્યું વલણ. હાય છે. તેમને મન ધર્માંશાસ્ત્ર સર્વ સત્યાના સંગ્રહ છે અને સત્ય શેાધના છેડા છે. ગ્રંથપ્રામાણ્ય એ જ એક ખરું આધાર રાખવા લાયક પ્રમાણ છે. ઇતિહાસપ્રમાણ કે વિજ્ઞાનપ્રમાણની તેમની દૃષ્ટિએ કશી પ્રતિષ્ઠા છે જ નહિ, કારણ કે, શાસ્ત્રકથન સનપ્રણોત યા તા શ્વરપ્રેરિત હાઈ ને અવિચળ સનાતન સત્ય છે, જ્યારે ઇતિહાસ કે વિજ્ઞાનના સિદ્ધાંતા તા સમયે સમયે ક્રૂરતા કરતા દેખાય છે. આજની નકારી ન શકાય એવી વૈજ્ઞાનિક શેાધા તેને એ ઘડી મૂંઝને છે. પણ ધશાસ્ત્ર તા કામધેનુ છે. તેમાંથી તે નવાં વૈજ્ઞાનિક સત્યે સાથે બધએસતા કાઈ કાઈ ઉલ્લેખા શેાધી કાઢે છે. અથવા ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy