SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ અન્યને નિવેદિત કરવામાં બહુ ઉપયોગી ભાગ ભજવે છે. આ આપણા -હરહંમેશાંના અનુભવને મુહપતીના આચારમાં સમજણ વિનાને ઈનકાર રહેલો છે. મુહ૫તીના કારણે જેન સાધુ કેઈ વિલક્ષણ માનવી જેવો દેખાય છે અને એ મુહપતીને ખુલાસે અન્યને કેવળ - હાસ્યાસ્પદ લાગે છે. બીજુ હવે જૈન સાધુએ જનેતર સમાજના સંમેલનમાંસભાઓમાં ઠીક ઠીક ભાગ લેતા થયા છે. તેમનાં પણ જાહેર વ્યાખ્યાને હવે ગોઠવાય છે. આ જરૂર આવકારદાયક છે. પણ જેમ જમાલભાઈને જુદે ચેતરો તેમ જૈન સાધુઓ જ્યાં જાય ત્યાં તેમના માટે બેસવાની અલાયદી ગોઠવણ કરવી પડે છે. વળી તેમના આવવા જવાના માર્ગમાં જાજમ પાથરી હોય તો તે ઉપાડી લેવી પડે છે. કેટલાક સાધુઓ આજના સ્વરવર્ધક સાધનોનો ઉપયોગ કરવાની ના પાડે છે. આ બધું આ જમાના સાથે કેવળ અસંગત લાગે છે. જ્યાં ત્યાં જૈન સાધુઓને જુદા તારવવા પડે એવો વ્યવહાર આજે વિચિત્ર લાગે છે. જૈન સાધુઓ વિશાળ સમાજમાં ખૂબ જ ભળે, સાર્વજનિક લેકકલ્યાણની પ્રવૃત્તિમાં ખૂબ ભાગ લે, પણ, જનતામાંના એક બનીને; સામાન્ય જનતાથી પોતે કાંઈક અલગ છે, જુદા છે, ઊંચા છે એવી રીતભાત–આડંબર ધારણ કરીને નહિ. આજના વિશાળ સમાજ સાથે જૈન સાધુઓ એકરૂપ થાય, તેમની કેટલીક વિચિત્ર રીતભાતેના કારણે તેઓ અન્ય જનસમુદાયના અણગમા તથા અનાદરના ભોગ બને છે તે સ્થિતિ દૂર થાય, અને આજે નૂતન સામાજિક નવનિર્માણમાં ત્યાગ અને વૈરાગ્ય, જ્ઞાન અને ચારિત્ર્ય ઉભયને મૂર્તિમંત કરવાને મને રથ તેમ જ પ્રત્યન સેવતાં રન સાધુઓ પણ મહત્ત્વનો ફાળો આપે એવી શુભ ભાવનાથી પ્રેરાઈને જૈન સાધુઓના પરંપરાગત આચાર પરત્વે અહીં સૂચનાઓ કરવાનું યોગ્ય ધાર્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy