________________
શ્રીમદન સશિક્ષા
૩૦૯ તથ્ય તેમાં ઉપગ નહીં હોવાથી તે આત્મબુદ્ધિથી લખ્યું કે કહ્યું નહીં હોવાથી કલ્પિતરૂપ કહેવાય; જેથી તથા તેવાં બીજાં કારણેથી પરમાર્થ સંબંધી લખવાનું તથા કહેવાનું ઘણું ઓછું થઈ ગયું છે. પણ કેટલાક પ્રસંગમાં વિશેષ સ્થિરતા રહે છે. વ્યવહાર સંબંધી કંઈ પણ લખતાં તે અસારભૂત અને સાક્ષાત્ બ્રાંતિરૂપ લાગવાથી તે સંબંધી જે કંઈ લખવું કે કહેવું તે તુચ્છ છે, આત્માને વિકળતાનો હેતુ છે, અને જે કંઈ લખવું કહેવું છે તે ન કહ્યું હોય તે પણ ચાલી શકે એવું છે, માટે જ્યાં સુધી તેમ વર્તે ત્યાં સુધી તે જરૂર તેમ વર્તવું ઘટે છે; એમ જાણી ઘણી વ્યાવહારિક વાત લખવા, કરવા, કહેવાની ટેવ નીકળી ગઈ છે.” (૫૮૬)
“કોઈ પણ તથારૂપ જેને પામીને સત્સંગનો આશ્રય જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ કર્તવ્ય છે થાય તે તેને મિક્ષ વિશેષ દૂર નથી.
અન્ય પરિણામમાં જેટલી તાદામ્ય વૃત્તિ છે, તેટલે જીવથી મોક્ષ દૂર છે.
જે કઈ આત્મજોગ બને તે આ મનુષ્યપણાનું મૂલ્ય કઈ રીતે ન થઈ શકે તેવું છે. પ્રાયે મનુષ્યદેહ વિના આત્મજગ બનતું નથી એમ જાણે, અત્યંત નિશ્ચય કરી, આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરે ઘટે.
વિચારની નિર્મળતાએ કરી જે આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તે સહજમાં હમણાં જ તેને આત્મગ પ્રગટે. અસત્સંગ પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને હીનસત્વ થયે હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org