________________
ચરોતરમાં પુનરાગમન
શ્રીમદ્ નડિયાદમાં સં. ૧૯૫ર ની દિવાળી પછી પણ થોડો વખત રહ્યા હતા. પછી વવાણિયા, મોરબી, સાયલા તરફ વૈશાખ માસ સુધી રહ્યા હતા અને તે જ વૈશાખમાં ઈડર થઈ જેઠ માસમાં મુંબઈ ગયા હતા. આ અરસામાં શ્રી ભાગ્યભાઈને સમાધિપૂર્વક દેહ છૂટ્યો હતો. શ્રી લલ્લુજી આદિ છ મુનિઓની શ્રદ્ધા ફરી ગઈ છે એમ ખંભાત સંઘાડાના સાધુ અને શ્રાવકેમાં વિશેષ ચર્ચા થવા લાગી. શ્રી લલુજીને દીક્ષા આપનાર શ્રી હરખચંદજીને દેહ પણ છૂટી ગયે હતું. તેથી બીજા સાધુઓને ચિન્તા થઈ પડી કે જે આ મુનિઓને દબાવીશું નહીં તે તે જુદે વાડ બાંધશે. તેથી તે છમાંના એક એક સાધુને બીજા પક્ષવાળા સાધુઓના સમૂહમાં લાવીને વિશેષ પ્રકારે દબાવતા, માર્ગથી પાડવાના પ્રયત્ન કરતા. તે પણ એ છ મુનિઓ સમભાવે રહેતા. શ્રી દેવકરણજી મુનિને સાચી વાતમાં શૂરવીરપણું આવી જતું પણ દબાઈને બેસી રહેતા. લાક્ષાગૃહમાં પાંડેને બાળવાને પ્રયત્ન કૌરવોએ કર્યો હતે તેમ આ પરિષહ મુનિઓને સહન કરે મુશ્કેલ હતું. પરંતુ શ્રીમદ્દના ઉપદેશથી તે અંતરંગમાં શાંતિ રાખી શક્યા હતા. કેટલાક થતી જિજ્ઞાસાવાળા મુનિઓને તે એ પ્રસંગે વિશેષ દૃઢતા થઈ કે આત્મકલ્યાણની ઈચ્છાવાળાને એ બધાને સંગ ભંડો છે. દરરોજ નિંદા અને ખટપટમાં કાળ ગાળનાર એક પક્ષ દેખાતે અને એક બાજુ પિતાને
સમ
સાચી વાત
બાઈને એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org