________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા આમ અણછાજતું છતાં છાબડામાં એક બાજુ મેરુપર્વત મૂકી સામેના છાબડામાં સરસવને દાણે મૂકી તુલના કરવા જેવું સાહસ હું આરંભું છું તે હાસ્યપાત્ર છે, છતાં જગતમાં વ્યવહાર કેઈ ને કઈ પ્રકારે કરવું પડે છે. જેમ બીજને ચંદ્ર બતાવવા આકાશને અડે તેવી લાંબી આંગળી કોઈની પાસે હોતી નથી તેપણ માત્ર અંગુલી-નિર્દેશથી તે દિશા દર્શાવી જેનારની દ્રષ્ટિ ચંદ્ર પ્રત્યે વળે તેમ કરીએ છીએ, તેમ આ અ૫ પ્રયત્ન શ્રીમદ્ રાજચંદ્રના પ્રતાપ પ્રત્યે દ્રષ્ટિ દેનારને ઉપયોગી નીવડે અને મારી વૃત્તિ મહાત્મા પુરુષનાં પ્રભાવશાળી વચમાં તથા તેના ગફુરિત ચરિત્રમાં રહે એ શુભ આશયથી અણજગતું કાર્ય માથે લેવાની ધૃષ્ટતા કરું છું. “સર્વતોભદ્ર – સ્વપરહિતકારી કાર્યની પ્રતીતિ થયા પછી આ કલમ પકડી છે તેમ છતાં, મારી અગ્યતાથી એ મહાપુરુષરૂપી ચંદ્રની પ્રભામાં કલંકરૂપ હું ન ભાવ્યું તે ઠીક એ ભાવનાથી તે જ્ઞાની પુરુષના ચરણકમળમાં અહંભાવ અર્પણ કરી તેનાં કૃપારૂપ કિરણેમાં અભેદભાવે ફરી ફરી નમસ્કાર કરું છું.
"मत्वेति नाथ तव संस्तवनं मयेदम् आरभ्यते तनुधियापि तव प्रभावात् । चेतो हरिष्यति सतां नलिनीदलेषु मुक्ताफलद्युतिमुपैति ननूदबिन्दुः ॥ आस्तां तव स्तवनमस्तसमस्तदोषम् त्वत्संकथापि जगतां दुरितानि हन्ति । दूरे सहस्रकिरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभांजि ॥"
श्री मानतुंगाचार्य-भक्तामरस्तोत्रः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org