________________
૧૧૭
ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ પલવી બહુ સુખપ્રદ છતાં માર્મિક રૂપે આત્મસ્વરૂપ વિચારથી અહીં આગળ લખી જઉં છું.
શુભ પ્રસંગમાં સવિવેકી નીવડી, રૂઢિથી પ્રતિકૂળ રહી, પરસ્પર કુટુંબરૂપે સ્નેહ બંધાય એવી સુંદર ભેજના તેઓનાં હૃદયમાં છે કે ? આપ ઉતારશે કે ? કોઈ ઉતારશે કે ? એ ખ્યાલ પુનઃ પુનઃ હૃદયમાં પર્યટન કરે છે.
નિદાન, સાધારણ વિવેકી જે વિચારને આકાશી ગણે તેવા વિચારો, જે વસ્તુ અને જે પદ આજ રાજ્યશ્રી ચકવર્તિની વિક્ટોરિયાને દુર્લભ-કેવળ અસંભવિત છે–તે વિચારે, તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા હોવાથી ઉપર જણાવ્યું તેથી કંઈ પણ લેશ પ્રતિકૂળ બને તે તે પદાભિલાષી પુરુષના ચરિત્રને પરમ ઝાંખપ લાગે એમ છે. આ સઘળા હવાઈ (અત્યારે લાગતા) વિચારો માર આપને જ દર્શાવું છું. અંતઃકરણ શુક્લ-અદ્ભુત-વિચારોથી ભરપૂર છે. પરંતુ આપ ત્યાં રહ્યા ને હું અહીં રહ્યો !” સં. ૧૯૪૪ પોષ વદ ૧૦ બુધવાર.
સગત ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ પોપટલાલભાઈના મહાભાગ્યશાળી પુત્રી ઝબકબાઈ સાથે શ્રીમદુના શુભ લગ્ન સં. ૧૯૪૪ના મહા સુદ ૧૨ને રેજ થયાં હતાં.
ત્યાર પછી એકાદ વર્ષે લખેલા એક લેખમાં શ્રીમદ્ સ્ત્રીના સંબંધમાં મારા વિચાર” એવું મથાળું આપી જણાવે છે ?
“અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org