________________
વર્તમાન સાધુ-દીક્ષા સબંધે
મારા નમ્ર ઉદ્ગારે.
૫. શ્રી ન્યાયવિજયજીની જીવનપભા છપાય છે, એ ભવસરે તેમનું એક પુસ્તક “વર્તમાન સાધુ-દીક્ષા સંબંધે નમ્ર ઉગારે આપણુ પંડિતરત્ન સ્વ. લાલચંદ ભગવાનદાસ ગાંધીના સંગ્રહમાંથી મળી આવ્યું. ૫. ન્યાયવિજયજી દેવા નવા નવા વિચાર ધરાવનાર કાન્તદષ્ટા હતા અને જે સાધુસંસ્થાને જગતમાં જોટો નથી તે સંસ્થાની ગૌરવગાથા હણાય નહિ અને તેના યશોગાન જગતભરમાં ગવાતા રહે અને એ સંસ્થામાંથી વિદ્વાન, વક્તાઓ, લેખો, - તિધર જગતને ભગવાન મહાવીરના સિદ્ધતિ દ્વારા વિશ્વશાંતિને સંદેશ બાપતા રહે તે એક જ ઉય ભાવનાથી પ્રેરાઈને બળબળતા હૃદયે પિતાના વિચારો નમ્રપણે રજૂ કર્યા છે.
વિચારમાંથી ઉપયોગી જણાય તે ગ્રહણ કરવા અને જે મારા વધારે પડતા લાગે તે ક્ષન્તવ્ય ગણવા પ્રાર્થના. મહુવાકર
(૧) ઓઘાનું પ્રયોજન અવરક્ષા છે. સૂત્રાદિ ગ્રંથમાં તેને સારુ રજેહરણ” શબ્દ વપરાય છે. “રજોહરણને સીધો અર્થ રજ, ધૂળ, કચરો, દૂર કરનાર, પણ જયણાપૂર્વક રજોહરણ કરવામાં જ એની રૂઢિ છે. નહિ તો કેવળ રજોહરણ કરવાનું સાધન તે બધે પણ મળી આવતું હોઈ, તેટલે બોજો ઉઠાવી ફરવાની કંઈ જરૂર જ ન રહે. ધર્મનું સર્વસ્વ અહિંસામાં છે, અને એ અહિંસાભાવનાને સતત યાદ દેવરાવી તેનો અમલ કરવામાં સહાયક થનાર
૨૦.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org