________________
૧૪૪
બને છે.
એક દિવસે સંસારવતી પાઈ પણ શરીરધારી આત્માને પોતાનું શરીર મૂકીને ચાલ્યા જવાનું છે, એ નક્કી છે. તે વખતે એ પોતાની પર કયાત્રામાં પિતાની સાથે કંઈ પણઅણુ જેટલી ચીજ પs લઈ જઈ શકતા નથી. શરીર (ધૂળ) વગર એકલો એ યા જાય છે. જ્યાં એ જશે ? જેવાં કામ કર્યા હશે એવી નિમાં (ગતિમ). સારું કામ કર્યા હશે તે સારી ગતિમાં અને બુર કામ કર્યા હશે તે બુરી ગતિમાં. “કરણ તેવી ભરણ.” કને કાયદો અચૂક અને અટલ કાયદે છે. એ માય બધાને-મોટા મોટા પયગંબરોને પણ માથે ચડાવે પડે છે. આખુંય વિશ્વ કર્મને શાસનને વશ છે. માટે સમજુઓએ કઈ પણ કામ કરતાં ખૂબ ખ્યાલ રાખવો જોઈએ કે આ કામ જે હું કરું તે મને, બીજાને કે ઉભયને અહિતાવહ. તે નથી ને. આમ જાગ્રત રહીને માણસે બુરી કામ કરીને પિતાને માટે દુઃખને ખાડા તૈયાર ન કરતાં, હંમેશને માટે સુખ પદ બને એવાં શુભ કામ (સત્કાર્ય) કરતા રહેવું જોએ એ જ વિવેક છે, એ જ સાચી બુદ્ધિ છે અને એ જ માનવજન્મ પામ્યાનો સાર છે.
આ માણસ બાળપણામ સ્વાભાવિક રીતે માતાની તરફ મે કરી બેસે છે, પછી યૌવનવનમાં પ્રવેશ કરતાં સ્ત્રી તરફ પોતાનું મેટું ફેરવે છે અને પછી વૃદ્ધાવસ્થામાં પટકાતાં પુત્ર સામું મોટું કરે છે, પણ પોતાના આત્મા તરફ એ કદિયે મુખ કરતું નથી ! કે મહાશ! બચપણમાં તે એ અશુચિમાં ભૂંડની જેમ આળોટતો હોય છે, પછી ભાનમાં આવતી કામચેષ્ટામાં વધેડા જેવો બને છે, અને એ પછી ઘડપણમાં એની બૂઢા બળદ જેવી હાલત થાય છે. મામ માણસ જિદગીભર જાનવરનું જીવન જીવે છે, પણ માણસ થતા નથી! ઘર મૂઢતા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org