________________
૧૩૭
જોઈએ છીએ, મોહ, રાગની ભડભડતી આગને પળેપળે હૃદયને બાળતી જઈએ છીએ-આ બધું સ્પષ્ટ અને સતત જોઈએ છીએ, પછી દુનિયાના આ ઠગાર પંચમાં આપણે શા માટે લોભાઈએ ? શા માટે આપણે આ સંસારવ્યાપી મહાઠગારી મોહમાયાની વિશ્વભક્ષી નૃત્યોને એના સાચા રૂપમાં ન સમજી લઈએ? અને એનાથી–એની વિષમય છાયાથી છેટા થઈ જઈ નિરાબાધ મંગળમય માર્ગ પર ન ભાવી જઈએ?
ઉપર જણાવ્યું તેમ, સંસારની સાચી સ્થિતિ અને જગતનું વાસ્તવિક સ્વરૂપ સમજવામાં આવે તે કામ, ક્રોધ, લોભના દે પાતળા પડવા માંડે. આપણે એ સમજી લઈએ કે એ દોષ આપણા પર સવાર થાય તો એમાં આપણો નાશ છે, પણ એમના પર આપણે જે સવાર થઈએ તો એમાં આપણો વિજય છે-કલ્યાણ શિખરે પહોંચી જવાય એવો મહાન વિજય છે.
આમ સર્વ પ્રથમ વસ્તુતાવનું સમ્યગ્દશન આપણને થવું જોઈએ. એ થતાં એના આધાર પર આપણી જીવનચર્ચા નિર્દોષ અને શુદ્ધ બનવાની. આપણું અન્તમુખતાનું બળ જેમ જેમ પુષ્ટ થતું જશે, તેમ તેમ આપણું ચત્રિ ખીલતું જવાનું. આમ આપણામાંથી કામ ક્રોધ–ાભના દે નીકળી જાય અને અહિંસા, સત્ય, સંયમ મિત્રી, નમ્રતા, પરોપકારરૂપ ગુણસંપત્તિ સમુન્નત બને એટલે આપણે જગ જીત્યા. જ્ઞાનસંપત્તિ, ગુણસંપત્તિ અને સંસ્કારસંપત્તિને મેળવવા અને સંગ્રહીત કરવા માપણે જેટલા વહેલા જાગ્રત થઈએ અને પ્રયત્નશીલ થઈએ તેટલે આપણને વધારે લાભ છે. ઘડપણ આવે એ પહેલાં આપણે બા ત્રિવિધ સંપત્તિનું સન્દર ઉપાર્જન કરી લઈએ. પછી કઈ જતને ભય નહિ રહેવાને. પછી ઘડપણ આવે છે કે સુંવાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org