SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિર થઈ વિચારપરાયણ બને એ જરૂરી છે. એ પ્રવાહની પદ્ધતિ પર જ આપણા ઉત્કર્ષ-અપકર્ષને, ઉન્નતિ–વનતિ, શુભ-અશુભ, સુખ-દુઃખને એક માત્ર આધાર છે. એ પ્રવાહમાં અનેક સમ-વિષમતાઓ આવે છે, ખાડા-ટેકરા, પછાડ-થપાટ, ઠંડી-ગરમી દયને સતામણ તથા ગભરામણ ઘણું આવે છે. શક્તિના ઝરા સામે યૌવનકાળ પણ વ્યથા તથા વ્યાકુળતાએથી ખાલી હોતો નથી. દુનિયાની આ માયા કેવી ગૂઢ અને ગહન છે ! કેવી દુર્ગમ અને અગમ્ય છે ! કેવી અચિત્ય અને અકય છે! આ બધા વિટ ઝંઝાવાતના દબાણમાં આવી માણસ જો ખતમ થઈ જાય તે યે પુનઃજન્મ તે તેને છે જ, અને જે ખતમ ન થાય તે ઘડપણની ખાઈમાં તે એ પટકાવાનો . ઘડપણ કેવું છે તેને અનુભવ ઘડાઓને તો પરેરો હોય જ, પણ બીજાઓ પણ સગી આંખે તેની ભયાનકતાનું બરાબર ભાકલન કરી શકે છે. હકો તથા બલિષ્ઠ માણસ પણ જરા પ્રહાર પડતાં કે ઢલે થઈ જાય છે ! બેશક, જેણે પિતાની અગાઉની જીવનચર્યા બરાબર સાચવી છે, પિતાના યૌવનકાળને સંયમપ્રધાન આરોગ્યના નિયમોના સુગ્ય પાલનથી બરાબર સંભાળી રાખે છે તેને માટે ઘડપણમાં કઈ જાતના ભયને નવકાશ જ નથી. વૃદ્ધાવસ્થાસુલભ શારીરિક શિથિલતા તેને આવે તે ખરી જ, ક્રિયાશીલતામાં પણ તેને મન્દતા આવે તો ખરી જ, પણ એ સિવાય એ જજનને કે જેણે પોતાના શરીર તથા ચિત્તને-એ બને –સંયમની સુષ્ય સાધનાથી સાચવી લીધાં છે–રૂડી રીતે સંભાળી રાખ્યાં છે અને જેણે જ્ઞાનસંસ્કારની સંપત્તિ સંગ્રહીત કરી લીધી છે તેને અશાન્તિ કે તકલીફનો કોઈ સંભવ જ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy