________________
પટ
૨૩ સાધુસંસ્થાની વર્ત
માન જીવનદશા
-
મુનિશીએ સાધુ સંસ્થા વિષે ખૂબ ખૂબ વિચારો કર્યા છે. શાસ્ત્રોનું પણ અવગાહન કરીને તે વિષેના ઉલેખે જાણી લીધા છે. આજની પરિસ્થિતિમાં પણ આ વિચારો જાણવા જેવા છે. ચાલીસ વર્ષ પહેલાં સાધુસમાજમાં જે મતભેદ હતા તે આજે પણ છે અને સાધુ સમાજની જે પ્રતિષ્ઠા હેવી જોઈએ-વધવી જોઈએ તે માટલા બધા આચાર્યો અને પદસ્થ હોવા છતાં વધી નથી. સાધુસમાજમાં ઐક્યતા દેખાતી નથી. તીર્થ ચર્ચાને બળબળતો પ્રશ્ન ઉકલ્યો નથી સમાજના ઉત્કર્ષ અને સમુન્નતિ માટે જે દર્દ હોવું જોઈએ તે દેખાતું નથી.
બધા બધા જ ધર્મ પ્રભાવનાઉત્સવો, પ્રતિષ્ઠાઓ, નવનવા મંદિર. ઉપધાન અને વરઘડાઓ તથા પૂજનમાં ઈતિથી માને છે. આજે જ્યારે હિંદ સ્વતંત્ર છે અને જૈન ધર્મના સિદ્ધાંત અહિંસા, અપરિગ્રહને જગતના ચેકમાં મૂકવાની તક છે ત્યારે પણ આપણા પૂ. આચાર્ય ભગવંતએ નવનવા પ્રસ્થાન કરવા પ્રયત્ન કરવા જોઈએ અને તેમ થાય તે આવતી કાલનો સમાજ પ્રાણવાન, શક્તિશાળી બને અને જિનશાસનને જયજયકાર થઈ રહે.
મુનિના વિચારે જાણી લઈએ.
ત્યાગ માર્ગ સર્વોતમ ધર્મ છે. સન્યાસના પંથે એ મહાન ધર્મ સધાય છે. મુનિ જીવનનું અદ્ભુત મહાગ્ય છે. તેની શીતળતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org