SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ છે યાદવોની-તેઓ સંપૂર્ણને દ્વારકાનગરનવિષે એક કરીને કોઈએક પુરૂષે તેઓને પીડિત કર્યા છે Sજે તે સમયે કોઈએક ભયંકર પુરૂષ પ્રાપ્ત થઈ મારા અને બળરામના દેખતાં છતાં કારોએ પૂરિત એવી દ્વારકાને અગ્નિ પ્રદીપ્ત કરી બાળી નાખતો હવો. તે સમયે હું શેકાંધકારે કરી વ્યાસ થતો હો; અને સંપૂર્ણ આકાશ જે છે તે, આસપાસ વિસ્તાર પામનારા પુત્રના સમુદાયેકરી અત્યંત વ્યાસ થતું હવું. ત્યારપછી આકાશમયે પ્રસાર પામનારી જે પ્રદીપ્ત અગ્નિની જવાળાઓ-તેણે કરી આકાશમણે પ્રસાર પામેલો ધુમ્ર નાશ પામતો હતો. અને માસે કાંધકાર તે અત્યંત વદ્ધિ પામતો હવો. ત્યારપછી બળરામે સહવર્તમાન હું વસુદેવ, દેવકી, અને રોહિણી-એઓને રથઉપર બેસાડી અન્ય ઠેકાણે લેવા માટે પ્રવૃત્ત થયો. તે સમયે ચાબુકે કરી ઘણા પ્રહાર કરેલા પણ અન્ય કિંચિત સુદ્ધાં રથનું આકર્ષણ કરવા માટે સમર્થ થયા નહીં. ત્યારપછી બંધન સ્થાનને વિષે જેમણે પોતાના સ્કંધભાગ અર્પણ કસ્યા છે, એવા અમે બંને ઘૂસણું વહેનાર થયા. તે સમયે અકસ્માત રથનાં ચક્રો ભગ્ન થયાં, અને તે રથનાં બંધનસ્થાન પણ ભગ્ન થયાં, તથાપિ કોઈપણે પ્રકારે અમે તે રથ, પુરના દરવાજા પાસે લીધો. તતક્ષણ ત્યાં કોઈએક પુરૂષ પ્રાપ્ત થઈ તેણે દરવાજાનાં કમાડ બંધ કર્યો. તે સમયે બળરામે મહાવેગે પોતાના લત્તાપ્રહાર કરી તે દરવાજાનાં કમાડ ઉધાડ્યાં. તે સમયે કિંચિત ભૂમિ ) મધે નિમગ્ન થએલો રથ અમે આકર્ષણ કરો છતાં પણ, ન ચલન પામતો હવો. ત્યારપછી મા* તપિતાનું રક્ષણ કરવા માટે જે સામર્થ્ય, તે વિષે કલબ એવો હું ખિન્ન થતો હો. એ પ્રમાણે કે ખેદ પામનારો જે હં–તે પ્રત્યે આકાશનેવિ રહેનારે કોઈએક દેવ ઉચ્ચસ્વરે કરી ભાષણ કરતો હવે કે હે કૃષ્ણ, તું છે કે માતપિતાના રક્ષણમાટે મહાપ્રયાસ કરશે તો પણ તે નિષ્ફળ થશે. એ માટે તું માતપિતાનું રક્ષણ કરવા માટે જે પ્રયાસ કરે છે તે હવે બસ કર. કારણ, પર્વે રાજકુમારોએ પીડા પમાડેલો જે દૈપાયનમુનિ-તેજ હું અગ્નિકુમાર દેવરૂપે થયો છું. તે મને પીડા કરી તેનું સ્મરણ Sછી કરી તે દિવસથી આજપર્યત હું ધર ધારણ કરનાર છું; પરંતુ અગીઆરવર્ષપર્યંત મહા ઉત્કર્ષે શાભ નારા એવા જે સર્વ દ્વારકાવાસી લોકોને અપ્રમાદ એટલે તપસ્યા, જિનપૂજા, અકઈમહોત્સવાદિકે છે કરી સાવધાનપણુ-તેણે કરી તેનો નાશ કરવા માટે મને અવકાશ પ્રાપ્ત થશે નહીં. એ માટે હજ જેનું મૂળ કારણ છું, એવા આ અગ્નિએજ આ તારાં માતપિતા હું મૃત્યુને પમાડીશ. એ સ માટે જે વાત કદી થનારી નથી તે વાત કદી થતી નથી, અને જે વાત અવશ્ય થનારી છે, તે અ- Sઈ ન્યથા થતી નથી. તે માટે તમે બંને અહિંયાંથી નીકળી જાઓ; અને પૂર્વ મેં જે તમને કહ્યું છે, તેને વિસરશે નહીં.” એવી તે દેવની વાણીને શ્રવણ કરીને પણ અમે બંને ફરી રથનું આકર્ષણ 6 કરવા લાગ્યા છતાં, અમારા સ્નેહે અત્યંત વ્યાકુળ એવાં અમારાં માતપિતા અમારી પ્રત્યે ભાષણ C તે છીએ છીદિલ્હીત્તિ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy