SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૯ SA) છે. તે કપિલવાસુદેવ અવલોકન કરતો હો. તે એવી રીતે કે જેની પાંચવર્ણની કાંતિ છે, એવી ને સંધ્યાકાળના મેયની આરક્તતાએ નિમણુ કરેલા હોયના! એવા પાંચ પાંડવોના જે પાંચ રથતે માથે રહેનારો જે શ્રીકૃષ્ણનો રથ-તેની પતાકાને સમુદમણે અવલોકન કરતો હો. ત્યાર પછી તે કપિલવાસુદેવ, શ્રીકૃષ્ણવાસુદેવપ્રત્યે “મારાથી સત્કાર ગ્રહણ કરી ગમન કરવા માટે તમે યોગ્ય છો એવા સ્પષ્ટ અને જેનેવિશે ઉચ્ચારેલા છે, એવા પોતાના શંખને વગાડતો હવો. તે સાંભળી શ્રીકૃષ્ણ પણુ, તમારા આ પ્રેમે અમારું સ્વાગત થયું એવા સ્પષ્ટ અક્ષરો ( જેનેવિષે ઉચ્ચારેલા છે, એવા પોતાના શંખને વગાડતા હવા. તે શબ્દને શ્રવણ કરી તે કપિલ- D વાસુદેવ પાછો જતો હતો. અને તે કપિલવાસુદેવ, શ્રીકૃષ્ણ જેનેવિષે અત્યંતભય ઉત્પન્ન કરે છે એવી અમરકંકા નગરી પ્રત્યે ગમન કરતો હતો. અને તે નગરીમાં રહેનાર જે પદ્મનાભરાજા, તેપ્રત્યે એવું ભાષણ કરવા લાગ્યો કે “અન્ય દીપમાંથી સ્ત્રી આણવી, એવો અન્યાય કરનારા જે - તું-તેણે મારા પ્રતાપની આ ગ્લાનતા નિર્માણ કરી છે. એ માટે રે દુષ્ટ, તું આ મારી નગરીનવિષે કોડ વાસ કરીશ નહીં.” એવું ભાષણ કરી મહાક્રોધે તે પદ્મનાભાજને ત્યાંથી કાઢી મૂકતો હો. છે અને તે રાજ્યનવિષે તે પદ્મનાભના પુત્રને તે કપિલવાસુદેવ સ્થાપન કરતે હો. છે અહીંયાં સમુદનવિષે ઊપર બેસી ગમન કરનાર જે ધર્મરાજ, તે તેજ રથઊપર બેસ- 4) નારી એવી જે દ્રૌપદી, તે પ્રત્યે પ્રેમપૂર્વક ભાષણ કરતો હો, કે હે દેવિ, રાજાઓમણે અધમ છે એવો તે પદ્મનાભર તારી પ્રાર્થના કરવા લાગ્યો છતાં તે પોતાના મનમાં શું ચિંતન કરી તેને એક મહિનાનો વાયદો કહ્યો?” એવું ધર્મરાજાનું ભાષણ શ્રવણ કરી તે દૌપદી ભાષણ કરતી SE હવી કે હે દેવ, “એક મહિનામાં મારા પતિ અહિયાં આવી અને બે નહીં લઈ જાય ) અનશનવ્રત કરી હું મરણ પામીશ એવું મનમાં ચિંતન કરી તે પદ્મનાભરોજને મેં એક માસને અવધિ કહો.” (અહીંયાં પાંડવચરિત્ર તથા નેમિનાથચરિત્રમાં એક મહીનાનો વાયદો લખેલે છે, પણ જ્ઞાતાજીમાં તથા શત્રુંજ્યમહાત્મ વિગેરેમાં છ મહીનાની અવધ કરી છે. એવું (SP સાંભળવામાં છે. તત્વ કેવલીગમ્ય.) જ એવું દ્રૌપદી ભાષણ કરતાં છતાં તે સાંભળનારે શ્રીકૃષ્ણ, સ્ત્રીના લાભે કરી જેઓનાં જ ચિત્ત તરંગયુકત છે એવા તે પાંડવોએ સહવર્તમાન, જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે તે સમુદિને ઊતરીને તીરવિષે પ્રાપ્ત થયા. અને પાંડવો પ્રત્યે ભાષણ કરવા લાગ્યા કે “સુસિથત એવો જે આ લવણાધિપતિ-પ્રત્યે હું ક્ષણભર વાતચિત કરી જ્યાંસુધી એની આજ્ઞા લઈઆવું, ત્યાંસુ- તે # ધીમાં તમે આગળ જઈ આ ગંગાનદીને ઊતરી ચાલો એવી શ્રીકૃષ્ણની આજ્ઞાએ તે પાંડવો, તો હ) સુવર્ણની નૌકામાં બેસીને સારી બાસઠ યોજન વિસ્તીર્ણ, એવી તે ગંગાનદીને ઊતરી જતા હવા. (૯) ૧૩. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy