SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૪ છે. ભગવાન તીર્થોનમઃ એવા ઉચ્ચારપૂર્વક પર્વ સિંહાસનને વિષે પર્વદિશા ભણું મુખ કરી બેસતા ને S: હવા. તે સમયે બીજી પણ ત્રણ દિશાઓનેવિષે રહેનારા સિહાસનો મથે વ્યંતરનામક દેવો, જે તે મીશ્વર ભગવાનના પ્રતિરૂપને સ્થાપન કરતા હતા. ત્યારપછી ચારનિકાયના દેવો અને ચારનિકાયની દેવીઓ-તઓ, જેઓએ હસ્ત જોડ્યા છે એવાં હોતાં થકાં તીર્થકર એવા શ્રી કોડ છુ) નેમિનાથના સંમુખભાગે ભૂમિનેવિષે બેસતાં હવાં. તે સમયે તે રૈવતક પર્વતના બાગને વિષે રહેનાર માળી લોકો, “નેમિનાથ તીર્થકર થયા છે એવા વૃત્તાંતને દારકામ ગમનકી શ્રીકૃષ્ણને નિવેદન કરતા હતા. તે સમયે તે માળીને ) છે. તે શ્રીકૃષ્ણ સાડાબાર કોડ દ્રવ્ય આપ્યું અને નેમિનાથની ભક્તિવિષે તત્પર એવા શ્રીહરિ, જ કે પોતાના વાહન ઉપર આરોહણ કરી પૃથક પૃથક હસ્તિનવિષે આરોહણ કરેલા એવા પિતા, પિ- ૪ તવ્ય, માતા, ભ્રાતા, પુત્ર અને પાંડવો-એએ સહવર્તમાન મહાત્વરાએ તે સમવસરણપ્રત્યે ગમન કરવા માટે પ્રસ્થાન કરતા હતા. તે દ્વારકાંપતિ શ્રીકૃષ્ણ, સમગ્ર સ્ત્રીઓએ સહવર્તમાન, 5 અને નાગરિક લકોએ સહવર્તમાન તે જ્ઞાનોત્સવભૂમિને પામતા હવા. તે સમયે તે નેમિ ભ- ૨ છેગવાનના ચરણકમળને વંદન કરવાની ઈચ્છા ધારણ કરનારી રાજીમતી પણ શ્રદ્ધાએ તે ભૂમિને, ( ઉત્કંઠિત એવી ભ્રમરી જેમ માલતિના સુગંધને પામે છે તેમ પામતી હતી. ત્યારપછી શ્રીકૃષ્ણ, ki) હાથી ઉપરથી નીચે ઉતરી અને સામ્રાજ્યચિન્હોનો પરિત્યાગ કરી ઉત્તરદારેકરી તે નેમિનાથ પ્રભુની જ્ઞાનોત્સવભૂમિપ્રત્યે આનંદકરી પ્રવેશ કરતા હવા. તે શ્રીકૃષ્ણ, પ્રથમ નેમિનાથને ત્રણ ન્ડે પ્રદક્ષિણા કરી પછી વંદન કરતા હવા; અને ઇંદની પાસે બેસતા હવા. અને અન્ય પણ પ્રાપ્ત કે જ થએલા જે વસુદેવાદિક-તેઓ પણ મીશ્વરને પ્રદક્ષિણા નમસ્કાર વિગેરે કરી યથાસ્થાન વિભાગે રે કરી બેસતા હવા. પછી સર્વ જંતુઓને સંસારરૂપ કૂપથી ઉદ્ધાર કરવા માટે ઈચ્છા કરનારા અને ક્ષાના સમુદ એવા તે નેમિનાથ પ્રભુ, દેશનાનો વિસ્તાર કરતા હવા. Sી નેમીશ્વરભગવાન હે ભવ્ય, સર્વ જીવોનું આયુષ્ય છે તે વાયુએ ચંચળ એવા કમળ છે ( પત્રની ઉપર રહેનારા ઉદકનો સહોદર છે. અર્થાત, વાયુકરી ચંચળ એવા કમળપત્રઉપર રહેનારું તો છેઉદક બિંદુ જેમ સ્થિર નથી, તેમ આયુષ્ય પણ સ્થિર નથી. અને શીલરૂપ નદીના વેગસમુદાયને ?) છે ઘાત કરનારી સંપત્તિ છે. અર્થાત, સંપત્તિના ગે મદાંધ થનાર પુરુષોનું સંપૂર્ણશીલ નાશ પામે છે. તે Sા સર્વ જીવોનું જોબન તે, સંધ્યાકાળે પ્રાપ્ત થનારા રકતઅબ્રના સરખું ક્ષણિક છે. અને જેઓએ ગુર દુસ્તર ફ્લેશની પ્રાપ્તિ અર્પણ કરી છે, એવા સ્વજનાદિકના સંગમો છે. ઘણુંકરીને શરીરધારી ક જીવોનું જે શરીર છે, તે વિપત્તિનું જ એક મંદિર છે; અને પુત્ર, મિત્ર તથા સી ઈત્યાદિક સર્વે, ૭) મનને અત્યંત દુઃખ ઉત્પન્ન કરનાર છે. એ માટે સાર વસ્તુઓ રહિત એવો આ સંસાર અને છે Ce8 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy