SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૧ છે. વરવા માટે યોગ્ય નથી. હે સ્વામિન, તમારું કેવળ અનન્યપણે શરણ, એવી જે હું તેનો ત્યાગ તમે કાં કરો? કારણ પોતાના ઉત્સગનવિષે રહેનારે, અને જેને આદર કરે છે એવા સસલાને પણ ચંદ કદીએ ત્યાગ કરતો નથી. ભૂલેંક, ભુવેર્લોક અને સ્વર્ગલોકના મનોરથ પૂર્ણ કરનારા તમે કલ્પવૃક્ષ હોઈને ભૂર્વોકનેવિષે વાસ કરનારી સ્ત્રી એવી જે હું-નોજ ત્યાગ પ્ટ) કરનારા તમે કાં થયા? હે નાથ, પતિ જે તમે તેનાં અરણ્યસંબંધી માલતિપુષ્પો સબ્રહ્મચારી છે થયાં છતાં, તમે પરિત્યાગ કરેલી એવી જે હં–તેનાં આ આભૂષણોએ કરી હવે શું ફળ છે? હેસ્વાછે. મિન, મનોહર એવા પણ આ મારા હારે કરી હવે શું ફળ છે જે હારે, તમારી સાથે મારે જે છે છે. કંદર્પકલહ-વિષે તમારા કંઠમધે પાશ સરખું આચરણ ન કરવું. હે સ્વામિન, આ રત્ન- મય કુંડળો હવે મારી વિના કરનારાં થયાં છે. જે કુંડળો એકાંત સ્થળે પ્રેમચુંબનવિષે તમારા પર ગાલ ઊપર આળોટ્યાં નહીં. સાંપ્રતકાળે આ મારી કટિમેખળા, કેવળ દુઃખને માટેજ થઈ છે. કારણ જે મેખળા, એકાંતસ્થળે મોટા પ્રેમે કરી તમે પોતાને હાથે સ્પર્શ કરી નહી; તે નિશ્ચય કરી કેવળ ખળજ છે. આ મારા બાહુવિષે મહાકાંતિએયુકત જે રત્નનાં બાજુબંધ છે, તે કેવળ રોગરૂપજ છે. કારણ, જે બાજુબંધ, આલિંગનનેવિષે તમારા કંઠમણે નિમગ્ન થયા નહીં. એ પ્રકારેકરી નેમિવરપ્રત્યે મહા પ્રેમે વારંવાર ભાષણ કરનારી તે રામતી, તે સમયે સં” પૂર્ણ ભૂષણસમુદાયને અંગઉપથી કાઢી નાખતી હવી; અને ભમિતળ વિષે વારંવાર આળોટતી જો છેહવી અને વારંવાર પોતાના વક્ષસ્થળને તાડન કરતી હવી; અને તે નેમિવરના વિયોગેકરી વ્યાકુળ થએલી એવી તે વારંવાર પ્રેમવરે આકંદન કરતી હવી. એ પ્રમાણે વ્યાકુળપણે પ્રાણેશ જે નેમિકમાર-તેના વિરહને વિષે પ્રાપ્ત થએલી નાના પ્રકારની ચેટને કરનારી જે રામતી–તે પ્રત્યે તેની સખીઓ એવું ભાષણ કરવા લાગી કે હે સખી રામતી, જેનો પ્રેમ ક્ષીણ થયો છે એવા નિરસ અને અલૌકિક એનેમિવરને વિષે પ્રેમ સમુદાયરૂપ એવો આ સ્નેહ તને ક્યાંથી પ્રાપ્ત થયો? બીજા પણ ક્ષત્રિકુળને ભૂષણભૂત એવા રાજકુમારો રૂપેકરી, પરાક્રમ કરી, અને બળેકરી (પ્રખ્યાત છે એવું છતાં એ નેમિકુમારનીજ તું કેમ ઈચ્છા કરે છે? તો હે સખી, તે પોતાના મનમાં I , બેદ કરીશ નહીં. રોહિણીની સખીઓએ રોહિણીને જેમ ચંદની સાથે સંગ કર, તેમ જ કે અમે તારે, સ્વરૂપેકરી યોગ્ય એવા કોઈપણ વરની સાથે યોગ કરીશું. બીજા રાજાએ પૂર્વે - 3 બ્દજ વરેલી કન્યા, બીજો વર વરવા માટે યોગ્ય છે; તેમ કોઈપણ કારણે નેમિવર માટે માત્ર શબ્દ કરી વરેલી એવી જે તું તેનું પણ પાણિગ્રહણથયું નથી માટે બીજોવર વરવા માટે કાંઈ હરકત નથી.” એવું સખીઓનું ભાષણ શ્રવણુ કરી ઉગ્રસેનની કન્યા રામતી, જેણે ક્રોધેકરી ભયંકર ભૂછે કટિ ધારણ કરી છે, એવી હોતી થકી ભાષણ કરતી હતી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy