SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ * બીજે દિવસે તે સમુદવિજયરાબ તે નિવાસસ્થળને વિષે સર્વ પરિવાર સહવર્તમાન રહેલો છે છતાં સંપૂર્ણ યાદવો આકાશને વિષે ઉચ્ચસ્વરે કરી થનારા વાઘના શબ્દને શ્રવણ કરતા હવા; છે અને ઊલ્વેભાગે અવલોકન કરનારા તે યાદવો આકાશનેવિશે એક ક્ષણમાં, જેઓએ સૂર્યને આ રથ આચ્છાદિત કરે છે એવાં લક્ષાવધિ વિમાનને અવલોકન કરતા હતા. ત્યાર પછી પ્રદ્યુમ કSિ છે અને સાંબ-એઓની સહવર્તમાન વસુદેવ, વિમાનથી નીચે ઊતરી સમુદ્રવિજય રાજના ચરણને વંદન કરતા હવા. તે સમયે સંપૂર્ણ બળભદાદિક યાદો વસુદેવને વંદન કરતા હવા; અને પ્રદ્યુમ્ર તથા સાંબ-એઓ, વૃદ્ધ એવા યાદવોને અનુક્રમે વંદન કરતા હતા. ત્યાર પછી પ્રધુને સ્થાનવિભાગે કરી નિવેદન કરેલા સંપૂર્ણ ખેચશે, સમુદવિજયરાજાને વંદન કરી શ્રીકૃષ્ણને તે SS પણ વંદન કરતા હવા; અને તે ખેચશે શ્રીકૃષ્ણની એવી પ્રાર્થના કરવા લાગ્યા કે “હે દેવ તું, પોતાના ઉત્કૃષ્ટએવા ફૂપાદિક ગુણોએ કરી ગૈલોક્યને જીતતો હો; તે તાર અગ્રભાગનેવિષે અમે શા લેખામાં છે. એ માટે હવે આજથી આગળ, અમારા મસ્તકનેવિષે તારી આજ્ઞારૂપમાળા @ ધારણ કરનારા અમે છે એવું જણ, અને તું નવમે વાસુદેવ છે એ માટે તારી પોતાની ઇચ્છા પ્રમાણે અમોને આજ્ઞા કર એવું ભાષણ કરી તે બેચશે, જેની નવીન સૂર્ય સરખી કાંતિ છે એવા તે શ્રીકૃષ્ણને, જેઓએ કૌસ્તુભમણીને ગર્વ દૂર કરે છે, એવા રત્નોના સમુદાયે કરી ( પૂજન કરતા હવા. તે સમયે તે શ્રીકૃષ્ણ પણ ઉત્તમ પ્રકારના ભાષણ કરી અને સત્કારરૂપ કર્મ 9 કરી તે બેચોનો સત્કાર કરતે હો. કારણ, જેઓનું ઉદાર ચિત્ત છે એવા પુરૂષનું કોઇપણ છે ઠેકાણે યોગ્યકૃત્યને માટે વિપરીતપણું થતું નથી. ત્યારપછી કર્મમાર્ગ જાણનારા એવા તે શ્રીકૃષ્ણ, યુદ્ધવિશે મરણ પામેલા યાદવ સંબંધી કેર સુભટોની તે તે નાના પ્રકારની ઉત્તરક્રિયા કરતા હતા. ત્યાં મગધ દેશનવિષે સહદેવ પણ, પોતાના મરણ પામેલા પિતા જરાસંધની યથાશાસ્ત્ર ઉત્તરક્રિયા કરતો હતો. બીજા રાજાઓ પણ પોતછ) તાના સંબંધી મરણ પામેલા જે સુભટો-તેઓની ઉત્તરક્રિયા કરતા હવા. તે જરાસંધની કન્યા જે ( છવયશાતે પણ પોતાના સ્વામિના સંપૂર્ણ કુળના ક્ષયને તથા પિતાના ક્ષયને સાક્ષાત અવલો- 1 કન કી નિર્લજજ હોતી થકી પિતા જે જરાસંધ અને પતિ જે કંસ-તે બંનેને સાથેજ જળજળી સમર્પણ કરતી હતી. ત્યારપછી જે કારણ માટે તે સ્થળને વિષે યાદવોએ, જેનું મૂળ કારણ શ્રીકૃષ્ણ GS છે,એ આનંદ નિમણકર, તે કારણ માટે જેનું નામ સાર્થક છે એવું તે સ્થળ, આનંદપૂર 2 એ નામે કરી પ્રખ્યાત થતું હતું. ત્યારપછી જેને ઇંદની ઉપમા છે એવા શ્રીકૃષ્ણ, ભારત દેશના ગણખોને વશ કરવા માટે પ્રસ્થાન કરતા હવા. કારણ, સર્વ વાસુદેવને એ ક્રમ છે. તે શ્રી૭) કૃષ્ણ કેટલાએક રાજાઓને સ્થાનથી ભ્રષ્ટ કરતા થકા, અને કેટલાએક રાજઓનો ગર્વ હરણ કરી છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy