SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ ચિત્રવિચિત્ર એવાં પંચકુંડ ભૂષણો જેઓને બાંધ્યા છે, એવા અયોએ યુક્ત, અને જેના વજને જ વિષે કુંભનું ચિન્હ છે, એ આ વિદુરથે નામે રાજા છે. કબુતરના સરખી જેઓની કાંતિ છે, આ એવા અશ્વો જેના છે, અને જેના ધજનવિષે કમળનું ચિન્હ છે, એવો આ સારણ નામે રાજ છે તે જુઓ. હે પ્રભો, અન્ય પણ નાના પ્રકારના ચિન્હોએ યુકત એવા અશ્વો જેઓના રથનેવિષે છે, અને જેના ધ્વજો નાના પ્રકારના ચિન્હોએ યુક્ત છે, એવા ઘણા યાદવાલાએ છે; તે સંપૂર્ણ રાજાઓ, પ્રત્યેકના નામ ગ્રહણ કરી વ્યાખ્યા કરવા માટે અશક્ય છે. એવું તે સમકતનું ભાષણ શ્રવણ કરી જેનવિષે ઉત્સાહ અત્યંત વૃદ્ધિ પામ્યો છે એવું ) છે જેનું સાહસકર્મ છે એવો જરાસંધ, તે સંપૂર્ણ યાદવોને તૃણતુલ્ય માનતોથકો યાદવોની સેનાને 6 Sણે મર્દન કરતે હો. તે સમયે ભારતાને પતિ જે જરાસંધ-તેણે કલેશ પમાડેલું યાદવોનું સૈન્ય, 7 મદોન્મત્ત હસ્તિઓએ મદન કરેલા કમલિન વનની શોભાને ધારણ કરતું હવું. તે સમયે જેનેવિ હસ્તિઓને સમુદાય મરણ પામે છે, અશ્વનો સમુદાય જેનેવિષે અસ્ત પામ્યો છે, રથને સમુદાય જેનેવિષે ભગ્ન થયો છે અને જેનેવિષે નષ્ટ થવાથી પદચારીઓ દુપ્રા૫ છે, જરા સંધના પ્રહાર કરી જેઓએ પોતાના પ્રાણ છોડ્યા છે, એવા જે સુભટો-તેઓએ વ્યાપ્ત થએલી ( જે પૃથ્વી તેનાથી નીકળનારીઓ જે નવીન રકતનદીઓ-તેણે કરી સિચન કરેલો જે જરા- 1) (1) સંધ-તેને જેનેવિ હર્ષ પ્રાપ્ત થયો છે એવા, અને પરાજયે કરી યાદવ સંબંધી રાજાઓ વિષે તો I અત્યંત પીડિત છે, અને માનના મને કરી જેને યુદ્ધ કરવા માટે આવેશ પ્રાપ્ત થયો છે એવા શ્રીકૃષ્ણ જેનેવિષે છે, અને નૃત્ય કરનારાં જે કબંધ-તેઓના અવલોકન કરી જેનેવિષે અપ્સરાઓ હર્ષિત થઈ છે, એવા પોતાના સૈન્યને પ્રેમેકરી આર્દિ એવી દ્રષ્ટિએ અરિષ્ટનેમિ અવલોકન કરતો હો. તે સમયે જેણે હસ્ત જોડ્યા છે એવો ઈદને સારથિ જે માતલિ-તે, કુમાર જે મિરાજા-તેની પ્રત્યે ભાષણ કરતો હશે કે હે દેવ, આ યુદ્ધવિષે તુંજ માત્ર ભાનરહિત થયો નથી, તેનાથ, આ તારું સૈન્ય, શત્રુ જે જરાસંધ-તેણે મંથન કર્યું છે. હે દેવ, તારે IN જેને પક્ષછે, એવું આ સૈન્ય, તારે ઉપેક્ષા કરવા માટે યોગ્ય છે શું? અર્થાત યોગ્ય નથી; અને જે આ સમયે સૈન્યવિષે મમતારહિત એવો જે તું-તેનું કર્મ જે કે સાવદ્ય છે, તે પણ ઇંદના આ રથને કાંઈ પણ કતાર્થ કર. અર્થાત, આ રથ ઊપર બેસનારા પુરૂષને જ્યજ થાય છે, એ માટે તું કાંઈ પરાક્રમ કરીને જ્યાં સંપાદન કર; એટલે આ રથ કૃતાર્થ થશે.” એવી રીતિએ માતલિએ પ્રાર્થના કરેલો નિર્ભય એવો તે નેમિકુમાર, ઇંદના હાથમાં રહેનારા ધનુષ્યના સરખી પોતાના ધનુષ્યને પ્રત્યંચા ચઢાવીને ટહુકાર શબ્દ કરતો હશે. તે આ સમયે શત્રનો અહંકાર જે નષ્ટ કરે છે એવો, અને યમનું વાહન જે મહિષ (પારો) તેના , ૧૨૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy