SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ४९७ ) બાણને સર્વ સૈન્યનેવિષે અવરોધ કરતા હતા. ત્યારપછી તે અશ્વત્થામાદિક ત્રણે જણેએ, જેને વિષે યોદ્ધાઓ એજ આહુતિ છે; એવો કોઈ એક પરાક્રમરૂપ યજ્ઞ કરીને તેમાં તે ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી ક્ષણમાં શાંતતાને પમાડ્યા. અર્થાત પરાક્રમરૂપી યજ્ઞવિષે ઘટદ્યુમ્ન અને શિખંડી-એ બેને હવન કર્યો એટલે એ બંનેનો નાશ કર્યો. તે સમયે તે ધૃષ્ટદ્યુમ્ન અને શિખંડી-એઓના છે મસ્તકને છેદન કરનારા તે કૃપાચાયાદિક ત્રણે જણાઓએ દોણાચાર્ય અને ભીષ્મપિતામહના છે છે. વધના વિરનું યથેચ્છપણે નિયતન કર્યું. તે સમયે તે કૃપાચાર્યાદિક ત્રણે જણઓએ દેષ અને આ # રાગ એના સરખા તે ઘુમ્ન અને શિખંડી-એ બનને વધ કરીને પછી કર્મના સમુદાય ) છે. સરખું જે પાંડવોનું સંપૂર્ણ સૈન્ય તેને નાશ પમાડડ્યું. તે સમયે પાંચે પાંડવોની બીજીઓ ર સાક્ષાત મૂર્તિઓ જ હોયન! એવા, કિંવા દ્રૌપદીના કુક્ષિરૂપ સરોવરને વિષે ઉત્પન્ન થએલાં લેત કમળો જ હોયના! એવા, કિંવા સર્વ જગતને દુર્જય એવા કામદેવનાં બાણેજ હોયના! એવા ક્રોધ પામેલા જે પાંચે પાંચાળ (દ્રૌપદીપુત્ર)-તેઓ મહાવેગે કરી તે ત્રણેની સાથે યુદ્ધ કરવા માટે સિદ્ધ થતા હવા. તે રાત્રીનવિષે તે અશ્વત્થામાદિક ત્રણે જણા, અતિશય ક્રોધે કરી જેઓનું મહોટું બાહુપરાક્રમ છે, એવા હોતા થકા પાંડવોના ભ્રમે કરી તે પાંચાળોને મારવા માટે દોડતા હવા. ત્યારપછી તે ત્રણેનાં અને પંચ પાંચાળનાં પરસ્પર છૂટેલાં જે બાણો-તેણે કરી પ્રાણ પ્રયાણ fy કરાવવા માટે તત્પર એવો સંગ્રામ થતો હો. તે સમયે પ્રતિશત્રુનો ઉદય થયો છતાં તેનું ઉત્તમ છે છે. પ્રકારે કરી નિવારણ કરવા માટે સમર્થ એવો જે મંત્ર-તેનાં મૂર્તિમાન પાંચ અંગજ હોયના!એવા 5 તે પાંચ પાંચાળોએ અશ્વત્થામાદિક ત્રણે જણાઓને પરાભવ પમાડ્યા. ત્યારપછી પોતાના પરાજયે કરી જાગ્રત થનારી જે લજm-તેણે અતિરાય ધિક્કાર કરેલા તે ત્રણે જણાઓએ પણ યુદ્ધવિષે યુદ્ધકળાનું સર્વસ્વ પ્રગટ કરી શત્રુઓને પ્રહાર કરવા માટે આરંભ કર્યો. તે સમયે ગ્રીમતુને આ વિષે સૂર્યના કિરણોનો સમુદાય જેમ જળાશયને શોષણ કરે છે, તેમ અશ્વત્થામાને બાણસમુ- - દાય, પાંચાળોના બાણને શોષણ કરતો હશે. ત્યારપછી પરાક્રમે કરી ઉત્તરોત્તર યુદ્ધચાતુર્યનું નવીનપણું સ્વીકારીને ભનાર તે દ્રૌપદીના પાંચ પુત્રોને અશ્વત્થામાના બાણોએ પંતજ છે એટલે મૃત્યુ સમર્પણ કર્યું. અર્થાત અશ્વત્થામાનાં બાણેએ દૌપદીના પાંચે પુત્રોને મરણ 5 પમાડ્યા. અને તતક્ષણ “એઓ પાંચે પાંડવોજ છે એવી બુદ્ધિએ કરી તે અશ્વત્થામાદિક ત્રણે જણાએ તે પાંચાળનાં પાંચે મસ્તકોને છેદન કરી સંતુષ્ટ થઈને મસ્તકો દુર્યોધનના સમીS Nભાગે લીધાં; અને વેદનાના અતિશયે કરી મૂચ્છ પામનારા તથા મૂચ્છાએ કરી જેણે પોતાનાં 6 નેત્રો મીચ્યાં છે, એવો તે યુદ્ધભૉમિનેવિષે શ્વાસ મારે કરી અવશેષ રહેનારે દુર્યોધન, તે અશ્વ- 3 ત્યામાદિક ત્રણે જણાએ અવલોકન કો. ત્યારપછી સરોવરના પાણીના સિંચન કરીને તે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy