SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ છે. પોતાની ઉપર બેઠેલા મહાવતોને નાશ પમાડ્યા છે; એવા હતા થકા તે રણસ્થળથી પલાયન જે કરવા લાગ્યા. તે સમયે કર્ણ અને અર્જુન-એ બંનના રથના ભડકેલા અશ્વોને, શલ્યરાજ અને શ્રીકૃષ્ણ-એ બંને, પોતાની સારચ્યકળાએ અને બળાત્કારે ઉત્તમ પ્રકારે કરી તે યુદ્ધસ્થળનેવિષે સ્થિર કરતા હવા. ત્યારપછી સંપૂર્ણ સેના પલાયિત થઈ છતાં તે વીસેમણે જ એટલે હાથી અથવા શ્રેષ્ઠ અને યુદ્ધવિષે આસક્ત એવા તે કર્ણ અને અર્જુન, અરણ્યવિષે છે. યુદ્ધ કરવા માટે આસકત થએલા એવા બે હસ્તિઓ સરખા ભતા હવા. ત્યારપછી એવી રીતિએ તે યુદ્ધની ગડબડ ચાલી છતાં એટલામાં કર્ણનો રથ, ચક્રના ) મધ્યભાગપર્યત ઉતાવળેજ, જેમ અન્યાયનેવિષે ધર્મ બૂડે છે તેમ પૃથ્વીને વિષે નિમગ્ન થયું. તે SS સમયે સારટ્યકળાને વિષે નિપુણ એવા શલ્ય પ્રેરણા કરેલા અો પણ, તે રથનો ઉદ્ધાર કરવા અને માટે, અજ્ઞાનવિષે નિમગ્ન થએલા વિવેકને જેમ દુર્ણ બુદ્ધિ પુરૂષ, ઉદ્ધાર કરવા માટે સમર્થથત નથી તેમ સમર્થ થયા નહીં. તે સમયે જેનું ચિત્ત ચિંતાઓ વ્યાપ્ત થયું છે અને જેનો મુખ ચંદ નિસ્તેજ થયો છે એવો પણ તે કર્ણ, ગર્વે કરી રથને ઉદ્ધાર કરવા માટે પોતાના બાહુબબને જ આશ્રય કરતો હતો. ત્યારપછી તે રથનો ઉદ્ધાર કરવા માટે ઈચ્છા કરનારે તે કર્યું છે પિતે રથ ઉપરથી નીચે ઊતર્યો. અને તે સમયે અર્જુન, મહા ઊત્સાહપ્રત્યે આરોહણ કરતો ) " હશે. અથત મહા આનંદ પામતે હો. ત્યારપછી જેણે પ્રાણને વ્યાકુળ કરવા છે એવા તો છે બાણના સમુદાયને વરસાવનારા અર્જુન પ્રત્યે કિંચિત દીનપણું ધારણ કરનારી વાણીએ કર્ણ વક છે ભાષણ કરતો હ. - કણ–હે અર્જુન, તું ક્ષત્રિયધર્મને ઉત્તમ પ્રકારે કરી જાણે છે; એ માટે તે ક્ષત્રિયધર્મને અયોગ્ય એવું આ સમયે મારા ઊપર બાણવૃદ્ધિ કરવાના કર્મને તું કરીશ નહીં. કારણ, સત્વ શાલી પુરૂષ છે તેનો યુદ્ધ ન કરનારા પુરૂષનેવિષે પ્રહાર પડતો નથી. એવું છતાં હેવીર, આ છ ક્ષત્રિય ધર્મને તું પણ લોપ કરવાની ઇચ્છા કરે છે તો જેનો કોઈ રક્ષક નથી એવો આ ક્ષત્રિયધર્મ છે ક્યાં રહેશે. એ માટે એક મુહર્તપર્યત તું મારી વાટ જો; અને ભૂમિમયે નિમગ્ન થએલા આ મારા રથને જ્યાં સુધી હું ઉદ્ધાર કરું ત્યાં સુધી અત્યંત તીક્ષ્ય બાણ મારા ઉપર છોડીશ નહીં. 5. એપ્રકારેકરી દીનપણે ભાષણ કરનાર તે કર્ણપ્રત્યે મઠાધિપતિ શલ્યરાજાએવું ભાષણ કરવા લાગ્યો. I શલ્ય-હે કર્ણ, આ દીનવાણીએ કરી તે પોતાનું કુળ લાવ્યું નથી શું? મહા પ્રાણુ ) દેહ પ્રાપ્ત થયે છતાં પણ, જે ક્ષત્રિ છે તે શત્રુના અગ્રભાગે તારા સરખાં દીન વચન કોણ ભાKષણ કરશે? અર્થાત કોઈ કરનાર નથી. એ ઊપરથી એવું લાગે છે કે, જે દુર્યોધને કાયરને શિરોમણી અને શિયાળના સરખે એવો જે તું તે તારેવિષે સિંહની સંભાવના કરી; તે દુર્યોધન 0 ૧૧૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy