SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ હ), 2 છે તેમ મમ બેદ કરનાર જે દુશાસન-લૈને, ક્રોધ કરી જેનું મુખ ભયંકર છે એવો ભીમસેન, ખંડન કરવા લાગ્યો છતાં, અને તે સમયે ભીમસેનના ભયે કરી કૌરવોનું સંપૂર્ણ સૈન્ય પલાયન કરવા લાગ્યું છતાં તે પલાયન સમયે ઉત્પન્ન થઈ આકાશમણે ઉડતી ધૂળ-તેણે કરી આરત થએલાં જ હોયના! એવાં વચ્ચે કરી યુક્ત-એવી આકાશરૂપી સંધ્યા, ભયે કરીને જ જણે હેયના! તેમ સૂર્યના મુખને આચ્છાદિત કરનારી થઈ અર્થાતઃ દુઃશાસનના વધસમયે સૂર્યના અસ્તનો સમય થયો. તે સમયે જેણે દુઃશાસનના વધને પ્રતિજ્ઞારૂપ સાગર અત્યંત તો છે એવો મેછે હાબળી ભીમસેન, તે જેમ કલેષરૂપી સમુદના પારને પામેલા યોગિઢપુરૂષ પ્રકાશને પામે છે ) .િ તેના સરખે અત્યંત પ્રકાશ પામવા લાગ્યો. તે સમયે એકવાર સંધ્યાએ પોતાનું આચ્છાદન છે કરચું છતાં કૌતુક કરી યુદ્ધચમત્કાર જોવા માટે પ્રાપ્ત થનાર દેવોના વિમાનને ફરી પ્રકાશ કરવા માટે જાણે આળસ્વરૂપશંકા પામનારો જ હોયના! એવો સૂર્ય અસ્ત પામતે હો. ત્યારપછી યુદ્ધને બંધ કરાવવા માટે અધિકારી કરેલા છડીદારોએ યુદ્ધ સંરંભને બંધ કરવાનું કહ્યું છતાં બંને સેનાઓ ૭) પોતપોતાના નિવાસસ્થળ પ્રત્યે ગમન કરતી હવાઓ. તે સમયે દુઃશાસનના વધે કરી જેનું આ ગમન આનંદકારક છે, એવો દૂરથી આવનાશે જે ભીમસેન–તેને દ્રૌપદી, પોતાના નેત્રેએ અવલોકન કરી ત્વરાએ દોડતી તે ભીમસેનની સામે જતી હવી. તે સમયે ભીમસેન પણ પોતાની આ- 2 ગળ પ્રાપ્ત થનારી દ્રૌપદીને આલિંગન દેઈ પોતાના હાથે તેના કેશને સ્પર્શ કરતો થકો મહા આનંદે કરી દુઃશાસનના વધના વૃત્તાંતને કથન કરવા લાગ્યો. તે સમયે પ્રથમજ સેવક લોકોના મુખથી 8 દુશાસનના વધનું સંપૂર્ણ વૃત્તાંત જેણે જાણ્યું છે એવી તે દ્રૌપદી, ફરી પોતાને વલ્લભ જે ભીમસેનતેના મુખથી તે વૃત્તાંતને શ્રવણ કરતી થકી કાંઈપણ ચમત્કારિક આનંદસ્થિતિને પામતી હવી. છે અહીંયાં કહ્યું પણ તે દિવસની રાત્રીનવિષે દુર્યોધનના આવાસસ્થાન પ્રત્યે ગમન કરતે જ હશે અને કનિષ્ટ બંધુ જે દુઃશાસન-તેના વધે કરી દુઃખિત થએલા એવા દુર્યોધન પ્રત્યે ભા- તા. પણ કરતે હવે કે હે રાજન, આ પાંડવોની સેનાનું અર્જુન એજ કેવળ મસ્તક છે; તે છેદન કરવું ( છતાં બાકીની સર્વ સેના શબતુલ્ય દશાને પામશે. તે અર્જુન પણ મારા બાણરૂપ અગ્નિને વિષે | તે પ્રથમજ આહતિ થશે પરંતુ યુદ્ધવિષે જે છે તે સારથિ જેને સારો છે તેણેજ અવલોકન કરી જાય છે. અર્જુનને તે સર્વસાધ્યકમને વિષે જે નિપુણ છે અને જેની બુદ્ધિ ઉદાર છે એવા શ્રીકૃષ્ણ સારથી છે; અને મારે તે શ્રીકૃષ્ણના સરખે કોઈપણ સારથી નથી, એ માટે ઇંદના માતલિનામક સારથી સરખે સારણ્યકર્મવિષે નિપુણ એવા શલ્ય સારથિને મને તું સમર્પણ કર એટલે યુદ્ધવિષે અર્જુનને મારીને તને પ્રાપ્ત થએલો જે બંધુશેક-તેનું હુંનિવારણ કરી - એવું કર્ણનું ભાષણ શ્રવણ કરીને કરવાધિપતિ દુર્યોધન, સન્માનપૂર્વક મદદેશનો રાજા C - જ - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy