SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ આ દુર થાય છે તેમ તે અત્યંત દુર્જય થયો છે. તેના પ્રતાપના આશ્રયે કરીને જેઓને અત્યંત SY પ્રતાપ પ્રાપ્ત થયો છે એવા અન્ય યાદવો પણ મહા ઉન્મત્ત થયા છે. કારણ, સૂર્યના કિરણ સમુ- દાયમાં રહેનારા સૂર્યકાંતમણી પણ અગ્નિની વિષ્ટિ કરતા નથી શું તે કૃષ્ણ સાંપ્રતકાળે, જેમ કે અત્યંત પ્રદીપ્ત થએલો વડવાનળ, વાયુના સહાયે કરી તૃણને બાળવાની ઈચ્છા કરે છે, તેમ પાંડવોએ કરી સહિતથકો નિશેષ શત્રઓને મારવાની ઈચ્છા કરે છેવળી તે સમયે તે કૃષ્ણપણ મારી પ્રત્યે આ પ્રમાણે ભાષણ કરવા લાગ્યો કે “ દૂત, જે તારામાં દૂતષણ હોય તે પ્રતિજ્ઞા છેધારણ કરનારા એવા તાર જરાસંધને યુદ્ધવિષે મને તુ દેખાડશે. તે જરાસંધ અત્યંત મહોટ ) હશે તે પણ યુદ્ધવિષે મને તો અતિ તુચ્છ જેવો લાગે છે. જોઈએ તેવો સ્થળપર્વત હોય પણ તે વજને શી ગણતીમાં છે? વળી જેમ કાષ્ઠસમુદાયને નાશ કરવા માટે અગ્નિ સમર્થ છે; કિંવા અંધકારના સમુદાયને નાશ કરવા માટે સૂર્ય સમર્થ છે, તેમ પોતાના કરતાં પણ અધિક શત્રુઓના સમુદાયનો નાશ કરવા માટે જે વીર છે તેજ શકિતમાન છે. માટે જે કલ્યાણકારક પુરૂષ છે તેજ, મારું અને જરાસંધનું બાહનું પરાક્રમ જોશે; અને અંધથી તોડીને મેં આકાશને વિષે ઉડવેલું જરાસંધનું મસ્તક પણ જોશે. તે જરાસંધનું અને મારું યુદ્ધ એજ આકાશ, તેનેવિષે મારું છે જે પરાક્રમ તેજ મેધ, તે શસ્ત્રાસ્ત્રની વૃદ્ધિ કરીને જરાસંધના બાહુના બળરૂપ તાપે તપ્ત થએલી ) ભૂમિનેશીતળ કરશે. કિંવા મારી વાર્તા તો એક કોરે રહી; પણ કૌરવોના રક્ત સહવર્તમાન તેને ભક્ષણ કરવાની ઈચ્છા કરનારાં અર્જુનનાં બાણોનું તે જરાસંધ ઉપષણ થશે. જેની સંખ્યા R કરવી અશક્ય છે એવા યાદવરાજાઓ, કટક સહવર્તમાન અને ધર્મરાજાની સાત અક્ષોહિણી ૩ સેના સહવર્તમાન આ હું મહાત્વરાએ કરુક્ષેત્ર ભૂમિનેવિષે પ્રાપ્ત થયો છું; એમ તું જાણજે. અને તારે પ્રભુ જે જરાસંધ, તેને જે બાહુ સામર્થ્ય હોય તે ત્યાં આવે એ પ્રમાણેની બને કર્ણને અત્યંત દુઃખ આપનારી વાણી શ્રવણ કરીને જરાસંધ, મૂર્તિમાન કાળાગ્નિ સર અતિશય જવલન પામતો હવે. તે સમયે પાસે બેઠેલા જે ગાંધારીપુત્ર દુર્યોધનાદિક-તેઓએ ભાષણ કરચું કે “હે રાજન, શીયાળીઓએ સિંહનો નાશ કરવા માટે શું આ આવેશ ધારણ કરો છે.. તમે અમારી પછવાડે રહ્યા છતાં અથત અને પાછળ રહી સહાય કરનારા છતાં અમેજ એ કણને મારશું. સૂર્ય પછવાડે હોય તો તે સૂર્યનાં કિરણો અંધકારને નાશ કરતાં નથી શું? . Sપાંડવોના કલ્પાંતરૂપ નાટકને નૃત્ય કરાવનાર અમોએ કરેલો એ કૃષ્ણનો વધ-એજ તમારા ને- ) ત્રને આનંદ કરાવનારી એવી નાટકારંભે મંગળરૂપ નંદી થશે. અમારા બાહુઓ, પાંડવોનું ખંડન કરતાં છતાં એ કષ્ણનેજ અવશેષ મૂકશે શું પ્રલયકાળને સમુદ્ર પર્વતને બુડાડવા લાગ્યો છતાં ઈ મેરૂપર્વતનો ત્યાગ કરે છે શું અર્થાત મેરૂપર્વતને પણ બુડાડે છે. ત્યારપછી છીંક પ્રમુખ દુષ્ટ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy