SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ છે ક્ષયગામિનિ થાય છે. જે પુરુષની સમિ, ધર્મરૂપ ચોકીદાર નિરંતર જાગ્રત રહે છે, તેને વ્યસન ૧ ફૂપ ભયંકર ર શું કરનાર છેજે પુરૂષને સત્કર્મની સંધિ કરનારો ધર્મ, તે પુરૂષની પછવાડે રહી છે? પારિપાર્ષિક (જે સૂત્રધારની પછવાડે રહી ગાવામાં મદદ કરે છે તે) સરખો સ્વાય કરનાર છે; તે . આ પુરૂષ, શત્રુવધનાટકવિષે સમાપ્તિને પામે છે. ઈયુકત પુરૂષોને જેમ કોઈનું સખ્ય પ્રાપ્ત થતું તો નથી, અર્થાત અદેખાને કોઈની સાથે મિત્રતા થતી નથી, તેમ લોભી પુરૂષને તે ધર્મ પ્રાપ્ત થતો નથી. ધર્મ અને લોભ એ બેની એકત્ર સ્થિતિ વિષે મોટો વિરોધ છે. અર્થાત ધર્મ અને છે. લોભ એ બે એક સ્થળે વાસ કરતા નથી. એ જેને આલિંગન કર્યું છે, એવા પુરૂષને ધર્મનો ) સમાગમ શતા નથી, તો પછી પાનબાળકનો સમાગમ કરનારા પુરૂષની જેમ તેને શૌચસંપર્ક ક્યાંથી પ્રાપ્ત થશે. લેભ છે તે ન્યાયરૂપ પર્વતનું છેદન કરવાને વજરૂપ છે કિંવા ધર્મરૂપ સૂર્યના પ્રકાશને દુદિન એટલે મેધથી આચ્છાદિત થએલા દિવસ સરખો છે; કિંવા સંપતિરૂપ વલિનું છેદન કરવાને કહાડા સમાન છે, અથવા કીર્તિરૂપ સૂર્યવિકાસિત કમળનિને સંકોચ પમાડનાર ચંદ સરખે છે. એ માટે મોટા પુરૂષ છે તેઓએ લોભને ત્યાગ કરવો. લોભ 8િ રહિત પુરૂષ છે તે ન્યાયનું ઘર છે; અને ન્યાયી જે છે તે ધર્મની ગવેષણ (ધ) કરે છે. વળી ધામક પુરૂષનો, જ્ય આશ્રય કરે છે, અને લોભી પુરૂષને અન્યાય પ્રાપ્ત થાય છે. અન્યાયી પુરૂષ જે ધર્મનો ત્યાગ કરે છે, ધર્મત્યાગ કરી સંપત્તિરહિત થાય છે અને સંપત્તિ રહિત થયો એટલે તે પુરૂપની કીર્તિ, લોપ પામે છે. માટે હે રાજન, લોભનો ત્યાગ કરી અને “ધર્મ છે તેજ જ્યશીલ છે એવો વિચાર કરી કીર્તિરૂપ વિલિનું જેણે અમૃતરસે સિંચન કરેલું છે એવા વિવેકનો આશ્રય કરી અન્યાયવડે મૃત્યુના ગ્રાસીભૂત એવા તારા પુત્ર દુર્યોધનનું નિંઘ આગ્રહથી નિવારણ કર અને સંપૂર્ણ કુળનું રક્ષણ કર. એવાં વિદુરનાં વચન સાંભળી શુદ્ધબુદ્ધિવાળો ધૂતરાણ, વિદુર પ્રત્યે બોલ્યો. ધૂતરાષ્ટ્ર–હે વિદુર તારા વિના આવી રીતનું વાણીરૂપ પથ્ય, નિઘ આગ્રહના રોગે પીડિત થએલા એવા દુર્યોધનને કોણ કહેશે? આ તારી વાણી, પ્રથમ કાનને બહુ નારી લાગે છે; પરંતુ પરિણામે અતિશય હિત કરનારી છે. કારણ, ગળે નામની ઔષધી; પીતાં સમયે મુખને કડવું જ કરે છે; પરંતુ તે પીધી છતાં સન્નિપાતને પણ દૂર કરે છે, અને જવરને પણ દૂર કરે છે. જે દુર્યોધન, ) પોતાના બંધુના કુત્સિત વ્યાપારરૂપી દાવાનળની પણ ઉપેક્ષા કરે છે; પરંતુ તે દાવાનળ, તે દુર્યોધનને પણ બાહને દાહ કરી મરણ પમાડના થશે નહીં શું અમૃતનું કેવળ સ્થાન એવો ચંદ્ર પર પણ મૃત્યુ એજ છે મૂલ જેનું એવા કાળકૂટ વિષના કુશળત્વને ન ફેડતાં પોતે જ કલંકરૂપ કાદવે લિસ અને નાશ પામનારે થયો. અર્થાત અમૃતમય ચંદ છે તેણે વિષ સુદ્ધાને પણ નાશ છો કરવો જોઈએ તે ન કરતાં કામોત્સુકતાએ કરી પોતેજ ક્ષયાદિક દોષ પામ્યો. તેમજ આ દુરાવ્યા : કે આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy