SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કરનારી માલિકીના બરામાં પાછળથી જઈ લત્તાપ્રહાર કરો. તેથી તે પૃથ્વી ઉપર પડી ગઈ છે વળી ત્યાંથી ઉઠીને, દીનમુખી, અઘમુખી અને અશ્રુએ કરી જેના નેત્ર પરિપૂર્ણ થયાં છે એવી માલિની, રાજસભામાં આવી ઊંચસ્વરે આક્રોશ કરી રાજપ્રત્યે ભાષણ કરવા લાગી કે હે રાજન, અન્યાયરૂપ દાવાનળને શાન કરનારા વર્ષાઋતુના મધ જેવા આપ છો, અને આ સર્વે ભુવનમાં કો દુને શાંત કરનારા તમેજ છો. અરે ! જેને આશ્રયે જઈ રહ્યાં તેની ભણીથી જ જ્યારે ભય * પ્રાપ્ત થાય ત્યારે કોની પાસે જઈ આપણું દુઃખ કહીએ? હે ધરાવીશ, તમારા કરો મહા - D ન્યાય કરે છે. વળી હે રાજન આપ સાંભળો. પોતાની પ્રતિજ્ઞાને નિભાવ કરવામાં પ્રવિણ, સત્યવાદી, પરોપકારી, પૃથ્વી ઉપર ગુપ્ત સંચાર કરનારા, મહાબળવાન ભુજાવાળા, અધર્મિઓનો સંહાર કરનારા અને ધર્મનું સ્થાન, એવા મારા પાંચ ગંધર્વપતિઓ ક્રોધયુક્ત સિંહ સરખા છે. અને અપરાધરહિત તથા પતિવ્રતા એવી હું તેને દુર્મદ અને પાપી કિચકે બરડામાં લત્તાપ્રહાર કર. હમણાં તે મારા પતિઓ કોઈપણ દેકાણે છે પણ મારી આગળ નથી. પણ જો તેઓ આ સમયે હોતો, મારાઊપર લત્તાપ્રહાર કરનારાને આ સમયેજ શાસન કરત.” એવું દ્રૌપદીનું ભાષણ સાં છે ભળી, અને તેની તે દુઃખદશા જોઇને ભ્રકુટિના ચઢાવ કરી જેનું મુખ મહા ભયંકર છે, એવો છે , ભીમસેન, ક્રોધ કરીને તે કીચકને મારવાસારું ઉઠવાને ઉદ્યોગ કરવા લાગ્યું. તે સમયે ધર્મ" એ સિંકેત કરીને તેનું નિવારણ કરવું. તે સમયે વિરાટરાજને “આ કીચક મારો છે. સંબંધી હોઈને વળી રાજ્યકારભારમાં બહુ ચતુર છે અને આ માલિનિ એ કીચકના અ- 5 પરાધ વિષે આવું બોલે છે, ત્યારે આ સમયે મારે શું કરવું? એવો મોહ પ્રાપ્ત થશે. તેથી કરી B કાંઈજ ન કરતાં એમજ સ્તબ્ધ રહે. એવું, તે રાજસભાને વિષે વિરાટસાનું કૃત્ય જોઈને ) અસંતુષ્ટ સરખો ધર્મરાજ ઉઠીને ઉદાસીનપણું સેવન કરનારી વાણીએ સેરેબ્રી પ્રત્યે ભાષણ કરવા લાગ્યો. કે “હે સંધી, તું કહે છે તેવા તારા પાંચ ગંધર્વ પતિ જ્યારે દેવ તુલ્ય બળવાન છે ત્યારે તેઓ, તારો કોઈપણ શત્રુએ અન્યાય કર છતાં તે અન્યાય સહન કરનાર નથી. " માટે છે સૈરધી તું જા જા, શા માટે અમસ્તતી રૂદન કરે છે? જે કીચકે તારા ઉપર અન્યાય છે ( ક છે તો તે અન્યાયરૂપ દાવાગ્નિ, તે.જેમ દાવાગ્નિ વાંસમાં પ્રગટ થઈવાસનેજ દગ્ધ કરી નાખે છે છે તેમ ચિકને દગ્ધ કરી નાખશે.” એ પ્રમાણે ધર્મરાજાએ ઉસિનવૃત્તિએ શિખામણ દીધેલી સરધી પોતાને પ્રાપ્ત થએલા શેકના આવેશને ઉપસંહાર કરીને પછી ત્યાંથી અંત:પુરમાં ગઈ ) પછી કીચકને અન્યાય થયો છતાં તેને કોઈપણ શિક્ષા ન કરતાં વિરાટ રાજા પણ આંખ આડા કાન કરી મુગો મુગે રાજસભામાંથી ઉઠીને રાજગ્રહમાં ગયો. તે દિવસની રાત્રીએ કોઈન જાણે 9) અમ ધીરે ધીરે પગલાં માંડતી દ્રૌપદી પાકશાળામાં જ્યાં ભીમસેન હતો ત્યાં તેની પાસે ગઈ ને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy