SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ જ ભામા, તે પણ મારા ઉપર આનંદવૃત્તિ ધારણ કરતી હતી. એવાં તેનાં વચન સાંભળી વિરાટ રાજની સ્ત્રી સુષ્ણદેવિ બોલી કે “હે સંધિ, તું જે બોલી તે બોલી પ્રમાણે હું તને મારી પાસે રાખીશ, પરંતુ કદાચિત વિરાટરાજા તને દાસીઓની પંક્તિમાં ઊભેલી જોઈ, હું તેની પ્રિયા છે છતાં મારે તે મનથી પણ સ્પર્શ નહી કરે.” તે સાંભળી દ્રોપદી બોલી કે “હે દેવિ એ વાતની તમે ચિંતા કરશે નહીં. મારા પાંચ ગંધર્વ પતિઓ છે તેઓ ગુપ્ત રહીને મારી નિરંતર રક્ષા કરે છે. જો મારી ભણું કોઈ કુદષ્ટિથી જુએ તો તે મારા ગંધર્વ પતિઓ કુદૃષ્ટિએ જોનારા પુરૂષનું જીવિ, તવ્ય રહેલું સહન કરી શકતા નથી. વિદ્યાના પ્રભાવે કરી તે મારા ગંધર્વ પતિઓ ગુપ્ત રહે છે પણ છે સર્વત્ર સંચાર કરે છે. તેઓના બળ આગળ સિંહ સરખાની ગણના નહીં તો પછી રાજા તે કોણ માત્રમાં છે એવાં માલિનીનાં વચન સાંભળી સુગ્ગાદેવિ બોલી કે “હે માલિનિ, ત્યારે તો મારી સર્વ લક્ષ્મી પણ તારી જ છે. તેનો તું યથેચ્છ ઊપગ કર.” એમ કહી તેને વસ્ત્રાભૂષણ આપ્યાં અને તેને પોતાની પાસે રાખી લીધી. મુખ વાસ તૈયાર કરનારી, પિયળ તથા વણીમાં હ) ઘાલવા સારું સુંદર પુષ્પમાળા વિગેરે કરનારી અને તે તે સુગંધી દવ્ય કરી અંગરાગ ચર્ચન કરનારી છે લ' એવી ધી, સુણાવિને મહા હર્ષ ઉત્પન્ન કરવા લાગી. તેમ તે કંકાદિનામ ધારણ કરી છે B રહેલા પાંડવો પણ પોત પોતાને સોંપેલા અધિકાર પ્રમાણે કામ કરી વિરાટ રાજા પ્રત્યે પ્રતિક્ષણે ) પ્રીતિરૂપનટીને નચાવતા હતા. અર્થાત પિતાવિષે વિરાટરાજાને પ્રીતિ ઉત્પન્ન કરાવતા હતા. કંતીને કોઈ ધરમાં રાખી આવ્યા હતા, ત્યાં કોઈ ન જાણે તેમ રાત્રીને સમયે જઈ પાંડવો તેના છે ચરણકમળની વંદના કરતા હતા. રાજાના સંતોષે તુષ્ટિદાનમાં પ્રાપ્ત થએલા શીરપચાદિક ભૂષ એ ભૂષિત થઈ પાંડવો વિરાટરાજને પરમ સંતોષ પમાડતા હતા; અને પોતે પણ એક બીજાની આ પ્રસંશા કરતા હતા. એ પ્રમાણે સર્વ પ્રકારે કરી પરસ્પર તે પાંડવો એક બીજાના ઉપકાર કરતાં , છતાં તેમના મનને સેવારૂપ દુઃખે કરી તાપ પ્રાપ્ત થયો નહીં. એવી રીતે વિરાટરાજાના નગરમાં રહેતાં પાંડવોને તેરમા વર્ષના અગીયાર માસ વીતી ગયા; અને હવે તેર વર્ષના વનવાસની અવધમાં માત્ર એક માસ બાકી રહ્યો. પછી કોઈ એકસમયે સુણાવિનો સગોભાઈ કીચક હતો તે દૌપદીનું રૂપ જોઈ કામવા થઈ ગયો ને મનમાં વિચારવા લાગ્યો કે “કામદેવના 5 દેહનો દાહ થયો, તે દુઃખથી સ્વર્ગલોક તજીને રતિ અહિયાં ભૂમિ ઉપર આવી કે શું? પરંતુ રતિનું પણ આવું સ્વરૂપ નહીં હોય, ત્યારે શું વિધાતાએ રસાયન સ્વિકારી કરી તે યુવાન થઈ. કેરી નેજ આ સ્ત્રીને ઉત્પન્ન કરી છે? નહી તે વૃદ્ધપણાએ કંપાયમાન થનારો વિધિ આવું સ્વરૂપ નિ મણ કરવા સમર્થ નથી. આ સ્ત્રીના શરીરના સ્પર્શરૂપી શીતળ જળનું સિંચન મારા ઉપર નહીં ઈ તો કામાગ્નિવિષે મારું આ શરીર હોમરૂપ થશે. વળી જો આ સ્ત્રીનું અને મારું એક કારણ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy