SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને જેની કૃપા ઊત્તમ ફળ આપનારી છે, તે રોજનું, સુજ્ઞ પુષ, મન કાય અને વચનકરી કદિ E પણ વિપરીત કરે નહીં. વળી રાજા પાસે કદિ જુહુ બોલે નહીં; કારણ, અસત્ય બોલનારા પુરૂષની છે? રાજલોકનિંદા કરે છે. પંડિતાઈ હોય નહીંને પંડિતાઈને જુઠે ઢાંગ કરી કહે કે હું પંડિત છું તે તેવાનું છે રાજા તતકાળ અપમાન કરે છે. અમ્યાન, બળવાન, શર, અનુગત, સદા સત્યવાદી, કોમળ અને ઇંદિને વશ રાખનાર એવો શવક રાજાની પ્રિયતાને પામે છે. બધી વાતનો વિચાર કરી તેમાંથી સાર ગ્રહણ કરી સારી રીતીએ રાજાને આશ્રય કરવો એટલે કલ્યાણ થાય છે. હે વત્સો, આપણને છે કોઈદુખ પડે તે વખતે પરસ્પર બોલાવવા સારૂં જ્ય, જયંત, વિજ્ય, જ્યસેન અને જ્યબલ એવાં ) અનુક્રમે નવાં સાંકેતિક નામ આપણુ પાંચેનાં જાણવાં. એ પ્રમાણે જેરુબંધુ યુધિષ્ઠિરની આજ્ઞા C સર્વ ભાઈઓએ માન્ય કરી અને પછી તેઓ ગતમાં ધનુર્ધારીઓ વિષે શ્રેષ્ઠ એવા અર્જુન પ્રત્યે બોલ્યા કે “હે અર્જુન, આપણને આયુધ સહિત જોઈને સર્વ લોકો દુઃખ દાયક જાણશે માટે આપણાં સર્વ આયુધો હમણાં કોઈ ગુપ્ત સ્થળે રાખવાં જોઈએ.” તે સમયે જેણે વિજ્ય નામ ધારણ કર્યું છે, એવો અર્જુન બોલ્યો કે “અહીંયાથી પાસે જ કોઈથી ન જીતી શકાય એવું સ્મશાન છે, છે તેની પાસે જેના પોલમાં સર્ષ કુતકાર મારે છે એવું એક જીર્ણ શમીવૃક્ષ છે. તે કરોળીઆ પ્રમુખ છે જીવોની જળે કરી ભયંકર અને ઘણા પલ્લવ સમુદાયે કરી ઘેર એવા શમીવૃક્ષને વિષે આપણાં N આયુધ મૂકશું તો કોઈ દેખશે નહીં.” એવું કહી સંપૂર્ણ તેજની મતિ ધારણ કરનાર એવાં છે આયુધો તે સમડીના વૃક્ષને વિષે અર્જુને મૂક્યાં. એવી રીતે આયુધો દેકાણે કા પછી જેમ પર્વતની ગુફામાં સિંહ પ્રવેશ કરે છે તેમ પાંચે પાંડવો વિરાટરાજાના નગરમાં પ્રવેશ કરતા હવા. E પ્રથમ યુધિષ્ઠિરરાજ દ્વાદશાંગે તિલક કરી, હાથની આંગળીઓમાં દર્ભની પવિત્રિઓ પહેરી, ડાબે ખાંધે સુંદર યજ્ઞોપવિત ધારણ કરીને અને ચંદના જેવાં કેત વસ્ત્રોએ શરીર દીપાવી બ્રાહ્મણને % રાજ્ય દરવાજામાં જઈ ઊભા. પછી “કોઈ બ્રાહ્મણ તમને જોવાની ઈચ્છા કરે છે એવું કહી રાજ તો Sી સભામાં પ્રવેશ કરવા દ્વારપાળદ્વારા રાજાની આજ્ઞા મગાવી. તે સાંભળી વિરાટરોજ તે બ્રાહ- ૯ 6) ને પૂજે દાનાદિકે કરી સભામાં પ્રવેશ કરાવતો હો. તે સમયે તેને જોઈ વિરાટ રાજા વિમય છે પામી મનમાં ચિંતન કરવા લાગ્યો કે આ ધર્મ પતિજ પૃથ્વી ઉપર આવ્યો કે શું બ્રાહ્મણ માત્રની આવી આકૃતિ મેં કદી જોઈ નથી. આ બ્રાહ્મણ તો સમુદવલયાંકિત પૃથ્વીનું પાલન કર- જ વાને યોગ્ય છે. એવી રીતે ચિંતન કરે છે એટલામાં યુધિષ્ઠિર રાજા, વિરાટ રાજની પાસે આવ્યો, પર તે સમયે તે વિરાટ રાજાએ તેને શીશ નમાવ્યું; એટલે આગળ આવી ધર્મરાજાએ તે રાજાને # ઘણાજ આશિર્વાદ દીધા. પછી બ્રાહ્મણવેષ ધારણ કરેલા યુધિષ્ઠિરને પરમ પ્રીતિપૂર્વક વિરાટ હતાં 5) રાજાએ પોતાની પાસેના બીજ આસન ઊપર બેસાડશે અને તેની પ્રત્યે બોલ્યો કે “હે બ્રાહ્મણ હજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy