SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ છેવરાહની પાસે આવ્યો. તેના દેખતાં વરાહના શરીરમાંથી અને પોતાનું સુવર્ણપંખ બાણ જ Sી કાઢતો હતો તે જે તે જિલ્લા અને પ્રત્યે બોલ્યો ભિલ્લ–હે સૌમ્ય, તારો આચાર તે શ્રેટ જણાય છે પણ કર્મ વ્યભિચાર જણાય છે. અરે ક્યાં તારી પુણ્યમૂર્તિ અને કયાં આ તારું ચરકૃત્ય. મહાત્માઓ તો પોતાના પ્રાણુને તૃણતુલ્ય 45 9) ગણીને ત્યાગે પણ આવું મલિન કર્મ કરે નહીં. સતપુરૂષોને તે સદાચારના ગે ભિક્ષા માગી છે નિર્વાહ કરવો સારે પણ આવા અનાચારના યોગે સંપતિ પણ તેમને શ્રેષ્ટ નથી. તે માટે અ() રશ્યમાંના પશુઓના રકતને પ્રાશન કરનાર અને વિષે કરી જેનું મુખ લિસ છે એવા મારા બા યુને વરાહના શરીરમાંથી કાઢવાને તું યોગ્ય નથી. હે કરૂચંદ્ર, તારો દોહ કરવા આ વરાહ આવતો હતો; એમ જાણીને જેમ ચંદને પીડા કરનાર રાહુનું બુધ નિવારણ કરે છે તેમ મેં એનું નિવારણ કર્યું છે. તે મારા ઉપકારના પ્રત્યુપકારને માટે આ મારો રત્નમય બાણ કાઢવા આમ પ્રયત્ન શા માટે કરે છે? રિપુહનન એજ એક પણરૂપ દિવ્ય, તે પણરૂપ દ્રવ્યથી ખરી દેલો મારો તું મિત્ર થઈશ એવી મારી આશા હવે દૂર થઈ અને તેને બદલે હવે તે તું મારે ( વ થયો. તુજ સરખા પુરૂષે જ્યારે અવળે માર્ગે ચાલે ત્યારે સાધારણ પુરૂષ ચાલે તેમાં શી છે નવાઈ? તે કહે વળી તેમ છતાં તારે એ બાણ લેવાની ઈચ્છા હોય તે તારી મિત્રતાની અભિ- 1) (1) ભાષા કરી ઉભેલો જે હું તેની તું કેમ પ્રાર્થના કરી માગતો નથી. મારો નિયમ છે કે અર્થિઓની ળ પ્રાર્થનાને કદી પણ ભંગ કરશે નહીં. વળી તારા જેવા અર્થિઓ મહા પુણ્યવડે મળવા પણ દુ- E ધંભ, છતાં તું હઠ કરી એ બાણ લેવાનું કરશે તે તારું સામર્થ નથી કે તું મને જીતીને એ બાણ થે લઈ જઈશએવાં ભિક્ષનાં વચન સાંભળી અર્જુન બેલ્યો. અર્જન – ભિલ આ તારું બોલવું સર્વ અસત્ય છે તેમ છતાં સત્ય સરખું કહે છે. હું માણે બાણ ખેંચી લેઊં છું તેમાં તારે લાંબી લાંબી વાતો કરી મારી નિદા કરી ઉપહાસ કરવાનું શું કારણ છે? જેઓ દુર્જન છે તેઓ સજજનોની મર્યાદાને લોપ કરે છે એમાં આશ્ચર્ય નથી. દુર્જન અને કલકુટ એ બંને સહોદર છે એવું હું જાણું છું, પણ એ બેમાંથી અગ્રજ (આગળ જન્મેલ) કોણ અને અનુજ (પછીથી જન્મેલો) કોણ તે મને ખબર નથી. ચોરી કરીશ નહીં એવું આક્રોશ કરી વારંવાર તું મને કહે છે અને તુંતો વારંવાર ફરચિત્ત કરે છે એમ પ્રગટ અમિત્ર છે તેમ છતાં આવા કર્મ કરી તું મારો મિત્ર શી રીતે થઇ? નીચ માણસની સાથે સારા માણસને મિત્રાચાર શાનો? સૂર્યને મેં અંધકારને કદિમિત્રતા હોય? તે જે મને દુર્વાક્ય કહ્યાં છે તે દવક કરી હું મારા મનમાં ક્ષોભ પામતો નથી; કારણ શિઆળના બોલવાથી સિંહ શું મનમાં ક્ષોભ પામે? આ હું મારા બાણને પાછું ખેંચી લેઉછું. જેના ભુજદંડમાં સામર્થ હોય છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy