SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ २४७ કે કોના તેમાંથી પડ્યું. કાલ લોકો તમને બળી ગયા પણ મહા નિશ્વાસ નાંખતા હતા પણ જે S! હું પ્રદિત અગ્નિએ મારૂંકાંઈ બળતું નથી એવો વિચાર કરી ઊદાસિન વતિધરી બેઠો હતો અને એને કશું પણ દુખ માનતો ન હતો. એટલામાં તમારા સરખા બળવાન અને પુષ્ટ શારીરનાઓને લો- આ ફોએ અંદરથી મુલા બહાર ખેંચી કાઢ્યા. તે દગ્ધ થએલાઓ ભણી જોઈ લેકો બોલવા લાગ્યા. 5 9) લોકો-અરેરે, આ રાજા યુધિષ્ઠિર છે, અરે એ મુએલા છે તો પણ મુખાબુજ કેવું છે કે છે અને પૂર્ણિમાના ચંદતતુલ્ય મુખ ઉપર રાયશ્રીશોભે છેઅરે આ ભીમસેન જુઓ.એનું શરીર છે છે કેવું પુષ્ટ છે. અરે આ અરજુન. એની પાસે આ નકુળ અને આ સહદેવ મૃત્યુ પામેલા પડ્યા છે. ) છે. હિમાદિના બરફ જેવી ઉજવળ જેની ગુણપંકિત અને જેને ત્રણે લોક નમસ્કાર કરતા હતા , એવી આ જકતજનની કુંતી મરેલી પડી છે. પાંચ ભર્તોની ભાર્યા આ દ્રૌપદી દગ્ધ થઈ પડી છે. એ પ્રમાણેને સર્વ લોકોએ નિશ્વય કરી જે સમયે તેઓ સર્વ રોવા લાગ્યા તે સમયે તેમનું Cી રૂદન સાંભળી વૃક્ષો પણ રોવા લાગ્યાં હોય એવું દીસ્યું. તે સમયે જોકે મને તો એવો નિશ્ચય હતો કે તમે આરોગ્ય છો તેમ છતાં તેઓનું શોકવિવર્તન રૂદન સાંભળી મારું બૈર્ય રહ્યું નહીં. અને મારા ચિત્તમાં પણ વિકલ્પ થવા લાગ્યો. વળી હું મનમાં એમ વિચારવા લાગ્યો કે “પાંડવો તે છે સુરંગમાં થઈ ચાલ્યા ગયા હશે ને આ લોકો વૃથા વિલાપ કરે છે; માટે ચાલતે જઈને ઊંત ) ખરો. પછી હું ત્યાં જઈ લોકોના કુતુહળમાં જોવા લાગ્યો તે તમે સાદરય તે પાંચ મૃતકોને મેં જોયાં, અને મનમાં વિમાસણ કરવા લાગ્યો કે ઘુમાડાથી આંખો ધન થઈ ગઈ હશે તેથી મારા પર સ્વામિ પાંડવો સુરંગમાં જઈ શક્યા નહીં હોય; ને આ અગ્નિમાં ઇંધનરૂપ થયા હશે. અરે જેવી ભવિતવ્યતા તેવી માણસની બુદ્ધિ થાય છે. તમને પ્રત્યક્ષ દગ્ધ થઈ પડેલા જાણી બીજા લોકોની પૈઠે હું પણ ઊંચે સ્વરે હાહાકાર કરી રૂદન કરવા લાગ્યો, અને મને નિશ્ચય થયો કે મારા સ્વામિ પાંડવો આજ મરણ પામ્યા. એમ બહુ રૂદન કરી હસ્તિના પુરમાં ગયો. ત્યાં જઈ તમારી વાર્તા કહી એક દુર્યોધન વિના સર્વજનને મેં મારા સરખા કયુકત કર્યો. વિદુરે તથા પાંડુએ મને એકાંતમાં બોલાવી પુછનું કે હે ભદ કેમ શું થયું તે કહે? તે સમયે જેવું મેં દીઠું હતું તે પ્રમાણે તે સર્વ વત્તાંત તેમને કહી સંભળાવ્યું. તેથી તેઓ હાહાકાર કરી પ્રથમ તો તે બંન્ને માછિત થયા છે કે મેં તેને અનેક ઊપચારોએ કરી સાવધાન કર્યા. સાવધાન થઈ તેઓ અતિવિલાપ કરવા લાગ્યા. તે પાંડુ તથા વિદુર–હા વત્સ, તમે દગ્ધ થયા તેને બદલે અમે દુરાત્મા કેમ બળી ન મુઆી અરે અમારી શિખામણ તમે કેમ ભૂલી ગયા? અરે જયારે વિધિ પ્રતિકુળ થાય છે ત્યારે બુદ્ધિવાન ૮ પુરૂષોની બુદ્ધિ પણ વિપરીત થાય છે. એ પ્રમાણે બન્ને જણા વિલાપ કરતા હતા. વિદ્વાન વિદુરે હાં ) પાંડુને અનેક પ્રકારનો ઊપદેશ કરી શકનું નિવારણ કરાવી ધીરજ દીધી ને પછી વળી તે બોલ્યા. ૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy