SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ છે. માતાને જણા સ્કંધ ઉપર ચઢાવી અને દૌપદીને ડબા સ્કંધ ઉપર ચઢાવી લઈ ભીમસેન ને પર આગળ ચાલ્યો. ભીમસેન પોતાના કુટુંબપ્રત્યે ક્યાંક સિપાઈ રૂપે, કહાંક મિત્રરૂપે, ક્યાંક ? રસોઈની રૂપે અને કયાંક રથરૂપે થઈ માર્ગના કલેષનું નિવારણ કરતો હતો. એવી રીતે ઘણો પંથ કપા. માર્ગમાં રજના ઉડવાથી સર્વનાં વસ્ત્ર મલીન થઈ ગયાં તથા મુખપણ મલીન થઈ ગયાં. આ વનથી પેલે વન એમ ચાલતાં ચાલતાં કેટલેક દિવસે પાંડવો દેતવનમાં આવ્યા. ક્યાંક ( કોક, કુરરી અને કોકિલ. ક્યહાંક વક, શાલ, શિઆળ અને સર્ષ એમ અનેક જાતીનાં છે પ્રાણીઓથી તે વન વ્યાપ્ત થઈ રહેલું હતું. ક્યાંક તે ચંપક, પુન્નાગ અને નાગકેસરનાં વૃક્ષો કી રહ્યાં છે, કોઈ સ્થળે દુએડ ઘુઘુકાર શબ્દ કરી રહ્યા છે, કોઈ સ્થળે આશ્રમમાં વાચાળ તપS: સ્વિઓ સ્વાધ્યાયનિ કરી રહ્યા છે, અને કોઈ સ્થળે પારધીઓ શિકારને તાકતા બે છે. એવા દૈત- ર છે. વનને જોઈ જ્યાં કંદ મૂળ ફળ મળવાને સુલભ છે, તે સ્થળે પાંડવોએ પોતાનું નિવાસ કર્યો. વનના રેહેનારા લોકોના જેવો વેષ ધારણ કરી તેઓ ઈચ્છા પૂર્વક ત્યાં રહેતા હતા; પરંતુ તેઓની શેભા પ થઈ નહીં. મણીને લાખમાં જડે તેય તે શું પોતાનું તેજ ત્યાગી દે છે? લીલાએ કરીને (” વનમાંથી મનોહર આહાર લાવી સર્વને જમાડી ભીમસેન તેઓને નિરંતર પ્રસન્ન રાખે. વલ્કલ ) ( બનાવવામાં મહા પ્રવીણ સહદેવ વૃક્ષોની કોમળ છાલનાં સુંદર અને મનહર વસ્ત્ર બનાવી પોતાના ) સંબંધીઓનાં વસ્ત્ર પૂરાં પાડે. પલાશ (ખાખરા) વૃક્ષનાં સુંદર અને કોમળ પાંદડાં લાવી તેનાં સુંદર કે પડીઆ અને પતરાળ વિગેરે ખાવાનાં પાત્ર બનાવી પોતાના સંબંધીઓને સારું પોતાના કુળને શુભ યોગ્ય એવી નકુળ વ્યવસાઈકરે. વનમાંથી કોઈ સુદ જન આવી ઉપદવ કરે તેના નિધન (નાશ) ને હુ સારું ધનંજ્ય કંડળાકાર કોદંડ (સાપ) કરીને સાવધાનપણે પોતાના સંબંધીઓની રાત દિવસ રક્ષા ) કરે. પોતાના પુત્રોનું કલ્યાણ વાંચ્છીને તેઓની શાન્તીને અર્થ શ્રી જિનેશ્વરના પદકમળનું કુતી નિરંતર સ્મરણ કરે. એવી રીતે તેઓ સર્વ વ્યવસાઈ કરી પંચ પરમેષ્ટિની સ્મૃતિમાં લિન થઈ દિવસ નિર્ગમન કરતાં હતાં. ઘરનું સર્વ કામકાજ દ્રૌપદી કરતી હતી. પાંડવો વનમાંથી નાના પ્રકારનાં જ સુંદર પુષ્પ લાવી તેના હાર,ગજરા, માળા પ્રમુખ બનાવી દ્રોપદીને આપે. તે ધારણ કરવાથી દૌપદી - || જાણે સાક્ષાત અતુઓની દેવતા હોયના! એવી શોભતી હતી. ભિલ લોકોએ, હાથીના કુંભથળનાં આ મોતી લાવી ભીમસેનને આપ્યાં ભીમસેને તેને મનહર હાર બનાવી દ્રૌપદીને આવે. દૌપદીના © વિનય કરીને, અને તેની સેવા કરી રાજ્યના સુખોપભોગને કુંતી કદી પણ સંભારતી ન હતી. છે - દ્રૌપદી સરખી પ્રિયા અને કુંતી સરખી માતા પોતાની સાથે હોવાથી પાંડવો પોતાને રજ્યશ્રીથી પણ અધિક કૃતાર્થ માનવા લાગ્યા. તેમ દ્રૌપદી તથા કુંતી પણ પાંડવોને જોઈને એજ આપણું રાજય અને એજ આપણા સર્વ સુખનું મૂળ એમ માનવા લાગ્યાં. બંધુઓએ સેવા કરી છે છે ” જીભત્રી . 9S Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy