SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ આવી છે? તે મને સત્ય કહે! કુંતાનાં વચન સાંભળી હેડમાએ પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. તે બોલી કે આ તમારો મધ્યમપુત્ર, રાક્ષસની સાથે યુદ્ધ કરેછે. એમ તે બંને જણાં વાર્તાલાપ કરેછે એટલામાં રાક્ષસના વૃક્ષપ્રહારથી ભીમસેન મુચ્છિત થયો. ભીમસેનને મુચ્છિત થયો જોઇ હેડંબા કુંતીવ્રત્યે કહેછે. અનેં જુઓ જુઓ, આ ક્રૂર રાક્ષસે તમારા પુત્રને મુચ્છિત કર્યાં. અરે મહા અનર્થ થયો. એટલામાં તો યુધિાંતિક નગી ઊચ્ચા ને જ્યાં ભીમસેન સૂચ્છિત થઈ પડ્યો હતો ત્યાં આવ્યા. કુંતી મહા કરૂણાસ્વરે કરી વિલાપ કરવા લાગી. કુંતી-હે ભાઇ, માર્ગે ચાલવામાં અમો પાંગળાં જેવાંને તું ચલાવનારો તેને દુષ્ટ રાક્ષસે આ દશાએ પહોચાડો! હે વત્સ, નિરાલંબ કુટુંબને તું આલંબન દેવાવાળો જ્યારે આ દશાને પહોચ્યો ત્યારે હવે તારાવિના દૂરથી જળ લાવી અમારી તૃષા કોણ માડરો! વળી વનમાંથી નવાં નવાં પુષ્પ લાવી દ્રૌપઢીના કેશમાં ક્રુમિલ્રબંધન કરી અલંકાર કોણ કરશે! માટે હે સુત તું ઊઠ અને મને પ્રતિ ઊત્તર આપ. અહીંયાંથી અમને આગળ લઇ ચાલ. પાછળ શત્રુનું સૈન્ય ચાલી આવેછે. એ પ્રમાણે ક્રુતી વ્યાકુળ ચિત્તે વિલાપ કરેછે. · અર્જુન ભીમસેનને વાયુ ઢોળેછે. એવામાં મુર્છાથી સાવધાન થઈ પાછો ભીમસેન હેડંબભણી દોડડ્યો. તે સમયે યુધિષ્ઠિર ખોલ્યો. યુધિષ્ઠિર— હૈ ભાઇ તારા શત્રુનો નાશ કરનાર આ અર્જુન ઊભોછે. તું શા માટે કષ્ટ કરેછે? ભીમસેન—હે જેષ્ઠ બંધુ યુધિષ્ઠિર, તારી અમૃત દૃષ્ટિથી મારૂં મન પ્રકુલ્લિત થઇ રહ્યું છે માટે હુવે તું મારૂં ભુજામળ જો. તારા નહાના ભાઇની આગળ કોનું સામર્થ્ય છે કે યુદ્ધુમાં સનમુખ રહે! સૂર્યનાં ઉગ્ર કિરણો પાસે જળનું કેટલું સામર્થ્ય કે તે સુકાઈ ન જાય! તમારી નજર આગળ તમો સર્વે દેખતાં આ રાસક્ષને હું મારી નાખીશ, જેથી કરી તમો પ્રસન્ન થાસો. વળી આ રાક્ષસના ભયથી કરીને આ વનમાં કોઇ મનુષ્ય નામે પ્રવેશ કરી શકતું નથી; પણ તમારી કૃપાના પ્રભાવે કરી હવેથી મનુષ્યો પણ આ વનમાં પ્રવેશ કરશે. એમ કહી ભીમસેન હેડંબભણી યુદ્ધ કરવા ધસ્યો. તે સમયે બન્નેનું યુદ્ધ ચાલ્યું. મુટ્ટા મુઠ્ઠી અને કેશાકેશી ચાલી, બંનેની જયશ્રી ડોલવા લાગી. પાંડેયના તથા હેડંબ રાક્ષસના યુદ્ધુથી ચરણરજે આકાશ છવાઇ ગયું. હેડંબનો પ્રચંડ દુડ જોઇ રાજ યુધિષ્ઠિર અર્જુન પ્રત્યે ઓયો. યુધિષ્ઠિર—હે અર્જુન હવે તો અભીમ પૃથ્વી થશે માટે તું વિલંબ ન કર. ઉભો ઉભો જુએ છે શું? જોને તારા વડા ભાઇને ભુજામાં લઇ એ મદ્દોન્મત્ત રાક્ષસ મરદન કરે છે! એ પ્રમાણે અધીરા થઈ યુધિષ્ઠિર અર્જુનપ્રત્યે કહેતા હતા એટલામાં તો ભીમસેને રાક્ષસને પોતાની ભુજાએ ગ્રીવાથી પકડીને જેમ પશુને મારે તેમ પશુમાર મારી મારી નાખ્યો. Jain Educationa International For Personal and Private Use Only २२३ www.jainulltbrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy