SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ છે છે કે નહીં. પ્રથમ તો યુધિષ્ઠિરને ધર્મી પુરૂષ માનતી હતી ને હવે “એ પહેલા હાર્યા પછી મને જે પર હારીં? કે મને હાર્યા પછી પોતે હાર્યા એવાં એવાં છુટી પડવાનાં પ્રશ્ન કરે છે તારા એવા બોલ- 2 છે. વાથી હું એમ માનું છું કે તું બહપતીને પણ મુર્ખમાં લખે છે. એ પ્રમાણે તેની ચેષ્ટા કરી કસ્તુરીવર્ણ જેવા વાળી દ્રૌપદીને ચોટલે ઝાલી દુઃશાસને બહાર આણી. તે સમે દૌપદી બોલી. દ્રપદી–અરે આ કેવો કોપ! હે પાપ, તું કૌરવકૂળમાં પાપવૃક્ષ છે કે શું? જે મને હું રાવળા છતાં ગુરૂ, પિતા, ભર્તાર અને વડિલો સમક્ષ સભામાં લઈ જાય છે. બંને નેત્રોમાંથી જળ વરસે છે, વાણી શિથિળ થઈ ગઈ છે એવી દ્રૌપદી રૂદન કરતી કરતી આગળ ચાલીને બોલતી જાય છે. - દ્રૌપદી–અરે! આજ સુધી ભતર સિવાય કોઈએ મારૂં મુખ જોયું નથીઆજ મારૂં સર્વ શરીર મારા શ્વશુરાદિકવડિલો જોશે. હેદુરાત્મની!આ તું શું દુષ્કર્મકરે છે. કર્મસાક્ષી ભગવવાનને તું શું જોતો નથી. હે મૂઢ, પરસ્ત્રીને તું સ્પર્શ કરે છે તેથી કર્મસાક્ષીભગવાન એક ક્ષણમાં તને ભસ્મ કરી નાખશે. કે ' એમ કહેતી જાય છે ને મહા કરૂણાસ્વરે રૂદન કરે છે. સિંહ જેમ હરણને તાણી જાય છે ! તેમ દુશાસન દ્રૌપદીને તાણું જતો હતો તેવી અવસ્થાવાળી દ્રૌપદીને સર્વ લોકોએ દીઠી. તે છે. સમયે સારા મનુષ્યો પણ દુઃશાસનને ધિક્કારીને શાપ દેવા લાગ્યા. કોઈના મુખથી સારી વાણી છે નિકળી નહીં. દ્રૌપદીને લેશિત થતી જોઈ સર્વ લોકો યુધિષ્ઠિરની નિંદા કરવા લાગ્યા. લોકો–અરે ઘત રમતા પહેલાં યુધિષ્ઠિરની બુદ્ધિ અને જ્ઞાનનો કેમપ થઈ ગયો હતો. જેમ વષાર્તુમાં નદીનું જળ કીનારાને તોડતું વહેતું જાય છે તેમ દ્રૌપદીના નેત્રથી જળ- ૧) ધારા ચાલી રહી છે, તે જોઈ લોકોનાં હદય ભેદન થઈ જાય છે, અને સર્વ મહા શેકાતુર થઈ રહ્યા છે. કલેશિત, એક વસ્ત્ર જેણે પહેર્યું છે અને નેત્રથી જેને જળધારા છુટે છે એવી દ્રૌપદીને અન્યાયકૃત્ય કરનારા દુઃશાસને સભામાં આવ્યું. સ્થાની મુખવાળી દ્રૌપદીને દુરથી આવતી જોઈ પાંડુપુત્ર મહા લજિત થઈ અધમુખ કરી ગયા. “ઘરમાં રક્ષણ ન કરી શક્યા તે સSી ભામાં આપણે શું રક્ષણ કરવાના હતા એવું વિચારી ભીખાદિકોએ પણ દ્રૌપદીને જોઈ લાથી જ પોતાનું મુખ વચ્ચે કરી ઢાંકી લીધું. દુર્યોધનની દૃષ્ટિ દ્રૌપદી ઉપર પડી અને પ્રીતિપૂર્વક મહા હેતથી તેની ભણું જેવા લાગ્યો. પછી અતિ કૃદરી દ્રોપદી પ્રત્યે દુર્યોધન બોલ્યો. દર્યધન–હે ભેદે હવે તાહારી અને માહારી પરસ્પર પ્રીતિ થશે. આજના દિવસ સુધી તારે પાંડવોનું પાણિગ્રહણ રહ્યું એ આપણ ઉભયને એક મહાવિધ વીતી ગયું. - એમ કહી પોતાની કાંધ ઉપરથી વસ્ત્ર ઊંચુ લઈ દ્રૌપદીને શાન કરી સમજાવ્યું કે અહીં મક આવી મારા ખોળામાં બેસ. એવું તેનું અસહ્ય કૃત્ય જોઈ અધર પીસીને, રકત નેત્રોકરી માહો તો, Sો ફોધયુક્ત થઈ દ્રૌપદી બોલી. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy