SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ છે મા શકુની સાથે તમને કહે છેતે સમયે શકુનીઓ, હસ્તિનાપુરમાં દુર્યોધનની ઉપર થએલા લે હાસ્ય વિષે સર્વ કહી સંભળાવ્યું.) હે તીર્થફૂપ, એ મારી ઉપર ઉપહાસ થયા છે મેં એવો નિશ્ચય પર કર્યો છે કે, પાંડવોની સંપત્તિ તથા દૌપદીને હું હરણ કરી લઊં તોજ જીવું નહી તે મરવુંજ તે સારું છે. કેમકે, જે સતત દુખમાં રહી છે તેનું શું તે જીવવું છે! કિંતુ મૃતક તુલ્ય છે. ક્ષણ બોર્ડ ૭) માત્ર પણ સુખમાં ન જીવવું તે શું જીવવું કહેવાય કે, ચંદમા ઉદય થયો ને વાદળએ તેને બંધી છે દીધો તે ચંદોદય થવામાં ફળ શું પતને તોડી નાખે, વનને વિચ્છેદ કરી નાખે એવા કરી સિંહની ગતિ ભંગ થઈને ઊલટો તે હાથીઓથી તિરસ્કાર પામે ત્યારે તેનું જીવવું તે શા કામનું. ) એ પ્રમાણે દુર્યોધન અત્યંત ઈયુકત થયો થકો ક્રોધના આવેશે બોલ્યો તે જોઈને તેને ફરી ધૃતરાષ્ટ્ર કહેવા લાગ્યો. ' ધ્રુતરાષ્ટ્ર-હે દુર્યોધન, પાંડવોની સાથે જે હું વૈર કરું તો મારી સર્વ લાજ જતી રહે અને યશને નાશ થાય. કારણ કે, સ્વસંબંધીઓની સાથે કલેશ કરવો એ અનુચિત છે. ઈત્યાદિક વિચાર ન કરતાં તને જે આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તે કકળને કલંકને અંકુર થયો છે. માટે હે પુત્ર, એ તું સારી વાત કરતું નથી. કોઈ પ્રકારે પાંડવોની સાથે કલહ થયાથી સર્વ લોક મને » ધિક્કારશે. માટે એ હઠ તું મૂકી દે. તું તારા પોતાના દેવની ઉપર ભસે રાખ; અહંકારને 9 " છોડી દે. કારણ કે, પાંડવો સર્વના મદને તોડનાર છે. મોટા મોટા વીર પુરુષોનું પણ એમની છે પાસે કાંઈ ચાલે નહી. તેમ છતાં કોઈ યુદ્ધ કરે તો તે યમપુરીમાં વાસ કરે. એ પ્રમાણે ધુતરાષ્ટ્ર બોલે છે એટલામાં ધીમે સાદે વચમાંજ શકુની બોલવા લાગ્યો. શકની–હે મહારાજ, પાંડવોની લક્ષ્મીનું હરણ કરવાનો એક હું ઉપાય જાણું છું; જેથી કોઈને બાણ લાગે નહી; યુદ્ધ કરવું પડે નહી; લોકમાં અપકીર્તિ થાય નહીં; તે ઉપાય એ છે કે, ધૂત રમણ કરવું; ને તેથી પાંડવોનો સર્વ સંપત્તિ હરણ કરી લેવી. મારી પાસે પાશ નાખવાની એવી કળા છે કે, મન ઈચ્છિત દાવ પાડી શકું. અને યુધિષ્ઠિર તો કાંઈ પણ રમી જાણતો નથી. છે માટે ચૂત રમીને તેનું સર્વસ્વ હરણ કરી લેવામાં કાંઇ પણ હરકત નથી. એ કામ સારી રીતે પાર પડશે. જો - એવું શકુનીનું બેલવું થયા કેડે દુર્યોધન કહેવા લાગ્યો. દૂધન–હે તાત, મારો મા કહે છે તે ધક વાત છે. એમ કરવાની જો તમે આજ્ઞા આપો તો કહ્યા પ્રમાણે સર્વ થઈ શકે. એવાં દુર્યોધનનાં વચનો સાંભળીને ધૃતરાષ્ટ્ર બેલવા લાગ્યું કે, હું વિદુરની આજ્ઞામાં વર્તે છે, તે હસ્તિનાપુરથી આવ્યા પછી તેને સર્વ વૃત્તાંત પૂછીને હ અને ઉત્તર દઈશ. તે સાંભળી મન ખિન્ન કરીને દુર્યોધન બોલવા લાગ્યો. | દુર્યોધન-પિતા તમને તો હજી વિચાર કરે છે તેને પરિણામ કોણ જાણે કો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy