SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છે શાંભળીને તે વિદ્યાધર રાજકુમારીને સાંતનુ રાજા કહે છે કે, હે મૃગલોચની, આ સમયે પેલો મગ છે, Sી પશુ માટે બહુ ઉપકારી થયો છે અને તેણે જ મને આ તુજ સરિખી કુમુદાક્ષીનું દર્શન કરાવ્યું છે જ છે એમ માનવું છે. આ જગતમાં સર્વ લોકો લક્ષ્મી પ્રાપ્તિની ચાહના કરે છે પણ મારાં ભાગ્ય હું શા વખાણું કે તું આપોઆપ લક્ષ્મી મારી ચાહના કરે છે. પ્રિય, તારો બિરૂદ હું અતિ આદર કો યુકત માન્ય કરું છું. મારા અંતઃકરણના ભાવ પ્રમાણે તારાં વચન મને એવાં હિતકારક લાગશે કે, ( જેમ રોગીના રોગને શાંતી કરનાર વૈદ્યનો બોધ કે પ્રિયકર લાગે. તેની પઠે જાણી લેવું. અને ) તારાં વચનનું કોઈ વખતે પણ ઉલ્લંધન કરનાર નથી. કદાચ દેવયોગે જે તેમ બની જાય તે ) એક તારે મને ત્યાગ કરવારૂપ દંડ કરવો. એવાં હર્ષમય રાજા વચન કહેતો હતો તેવામાં તેની જ Sણ પછવાડે રહી ગયેલું સત્ય પણ ત્યાં આવી પહોચ્યું અને પોતાની પુત્રીને જોવાને માટે તે વિદ્યાધર પર રાજા જહુ પણ આવી પહોંચ્યો. પોતાના પિતાને આવતો જોઈ લજિત થઈ થકી આસન ઉપ રથી ઊઠી ઊભી થઈ અને પોતાની પ્રિય સખીને તેના મુખારે એ સર્વ વૃત્તાંતથી પોતાના 9) પિતાને જાણ કરવા કહ્યું. તે પ્રમાણે તે સખીએ સર્વ વૃત્તાંત જહુ રાજાને કહી શભળાવ્યું તેથી તે રાજા પ્રફુલ્લિત થઈને તથા બન્નેની અન્ય પ્રીતિનું અવલોકન કરીને ત્યાંજ મોટા - છે ત્સવથી તેઓને વિવાહ કરો. એવી રીતે તે ગંગા સુંદરીનું પાણિગ્રહણ કરીને શાંતનું રાજ છે છે પોતાના સૈન્યસહિત પાછો હસ્તિનાપુર આવી પહોતો. દિવસાનદિવસ તે બન્ને સ્ત્રી પુરૂષની તો છે. પ્રીતિમાં વૃદ્ધિ થતી ચાલી; તથા અતિ પ્રેમપૂર્વક સંસારનાં સુખ ભોગવવાં લાગ્યાં. એમ ઘણા દિવસ અત્યાનંદે વિલાસ કરતાં ગંગા સુંદરી ગર્ભવતી થઈ ગર્ભધારણ કરવાથી Gર તેનું રૂપ તેજોમય દીવા લાગ્યું. તેજસ્વી સૂર્યના કરતાં પણ તેની અધિક દેદીપ્યમાન કાંતિ દીશવા લાગી. તેના એસમયના અપૂર્વ તેજને લીધે જેણે સુમેરૂ પર્વત લધુ કંદુક થઈ ગયો હોયની!એવું ભાસવા લાગ્યું. સમુદ્ર ગોષ્પદ સરખો તેને દિસવા લાગ્યો એમ કરતાં પૂરા દિવસે 1 શુભ મુહર્તે તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે એ તે તેજવી ઉત્પન્ન થયો કે, અન્ય રૂપ- 0 વાન પુરૂષોના તેજ તેના તેજ પાશે પ્રત્યક્ષ ચિત્રવત જણાવા લાગ્યા. તેના જન્મને લીધે સર્વ જ છેપ્રજાને એવો તે આનંદ થયો કે ઘરબાર ત્યાગી મોજ મારવા નગર બહાર નીકળી પડ્યા. જેથી તે નગર બધું શૂન્ય દીસવા લાગ્યું. તે ગંગાના પુત્રનું નામ, સર્વ અર્થજ્ઞ સંતનુ રાજાએ ગાંગેય 3 એવું રાખ્યું કોઇએક સમયને વિષે મૃગયા રમવામાં જેની ગાઢ પ્રીતિ છે, એવા સંતનું રાજને મૃગયા રમવા જવા તત્પર થએલો જાણી હાથ જોડીને અતિ નમ્રતાથી ગંગા કહેવા લાગી કે, હે પ્રજાને Sી વલ્લભ, પ્રજાના વિશ્રામરૂપ, નમ્ર, વિવેકી અને સર્વ શુભગુણ સંપન્ન પ્રાણપતિ, આ સમયમાં આ- હવે છg Qષેક કરો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy