SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ પોતપોતાના ઘર ભણી ચાલ્યા ગયા. અર્જુને જ્યારે ગૃહમાં પ્રવેશ કરો ત્યારે પ્રથમ દ્રૌપદીએ નમસ્કાર કરીને કુરાળતા પુછી, તેને અર્જુને સર્વે વૃત્તાંત કહી શંભળાવ્યું. ત્યાર પછી અર્જુને સ્નાન કરીને જિનની પૂજા કરી. ભોજન:દિ થયા કેડે સુખસય્યાપર પોઢી પ્યારીની સાથે કામવિનોદ કરવા લાગ્યો. તે સમયે ધણા દિવસના વિરહની વ્યથાનો નાશ થયો. પ્રાણવલ્લભાની સાથે વિનોદ કરતાં આખી રાત્ર નીકળી ગઈ તે જાણે એક ક્ષણજ વ્યતીત થઈ હોયની! કહ્યું છે કે, સુખમાં સમય જાયછે તેની ખબર પડતી નથી. એવી રીતે અર્જુન દિવસો નિર્ગમન કરવા લાગ્યો. તેની સાથે મણિચૂર વિદ્યાધર, હેમાંગઢ રાજા, અને બીજા વિદ્યાધરો અર્જુનની પ્રીતિને લીધે હસ્તિનાપુરમાં રહીને નાના પ્રકારના રાજ્યવિનોદ કરવા લાગ્યા. એક દિવસ પાંડુ રાજુએ પોતાના કર્ણકેશ શ્વેત થએલા જોઈ પુત્રોને પાશે ખોલાવ્યા. અને તે તેમને કહેવા લાગ્યો. પાંડુરાજા—હે પુત્રો, હવે મને મારી જરા અવસ્થા ધર્મ કાર્યોમાં બલાત્કારે પ્રવૃત્ત કરેછે. એ અવસ્થાને લીધે વિષય સુખ મને અપ્રિય લાગે છે. વૃદ્ઘાવસ્થા કેવી છે તે સાંભળો:-ગાત્ર સંકુચિત થઈ જાયછે, ગતિ મંદ થઈ જાયછે, દાંત પડી જાયછે. દૃષ્ટિ તેજ રહિત થઈ જાયછે, હાસ્ય કરવા લાયક સ્વરૂપ બની જાયછે, દાંતોના અભાવને લીધે મુખમાંથી લાળ ગળ્યા કરછે, ઇંદ્ધિઓ શિથિળ થઇ જાયછે, સ્મૃતિ ન્યૂન થઈ જાયછે, તર્ક શક્તિ ગટી જાયછે, શબ્દો અસ્તાવ્યસ્ત બોલાય છે, નાડીઓ બળહીન થઇ જાયછે, વિચાર રાક્તિ ગટી જાયછે, શરીરમાંની સપ્ત ધાતુ નિર્મૂળ થઈ જાયછે, શક્તિ બિલકુળ રહેતી નથી, રોગાકિ આવીને ગ્રસણ કરેછે, હરેક વ્યથાની વૃદ્ધિ થતી જાયછે, અને સર્વે સ્વજનોની પોતાને વિષે અપ્રિયતા થાયછે, એ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં સર્વ પ્રકારનું કષ્ટ થાયછે; પુત્ર પણ વૃદ્ધુ પિતાની અવજ્ઞા કરેછે; એ નૃત્ય રૂપ એક મોટો ચતુર દૂત છે, તે સર્વે લોકોના મસ્તક ઉપર સ્થિત થઈને સર્વનો પરાભવ કરેછે. તેની સાથે એવી સૂચના કરેછે કે, હું પ્રાણી, હવે ધર્મ કર, અને પાપ કર્મથી દૂર રહે. જો આ અવસર નીકળી ગયો તો ફરી ઘણો પશ્ચાત્તાપ કરવો પડશે. પછી તે દ્યૂત અતિ ક્રોધમાં આવીને આવા સર્વે સામગ્રી સહિત મનુષ્ય દેહની પ્રાપ્તિ થઈ છતાં તેં કોઇ પણ સુકૃત કરવું નહી, એમ કહી તેના દાંત તોડી પાડેછે, હે વત્સો, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઇ છતાં જેની સ્ત્રી મૃતક થઇ ગઇ છે, પુત્રો નિર્ધન થઈ ગયા છે, સ્તુષાઓનાં વચનોથી જેનું મન દગ્ધ થયું છે, અને મરે પણ નહી ને માંચો પણ મૂકતો ન હોય એવો પુરૂષ વંતે મુવા કહેવાય છે. માટે હે પુત્રો, જ્યાં સુધી કાળા કેશ હોય છે ત્યાં સુધી તો વિષય ભોગમાં પ્રવૃત્તિ કરવી, પણ જ્યારે ધોળા કા થાયછે ત્યારે ધર્મ કર્મમાં પ્રવૃત્ત થવું એ સર્વે કરતાં સારૂં છે. હવે સર્વે ગુણ સંપન્ન ધર્મ પુત્રને માથે રાજ્યભાર મૂકીને આ મન ધર્મ કાર્યો કરવાને આતુર થઈ રહ્યું છે. તેમાં પ્રવૃત્તિ કરવાને બધા મને અનુમોદન આપો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy