SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ રહેલો હતો તે જાણે દશે દિશાઓએ પોતાનાં મુખ વિકાસ્યા હોયની! નીલ મણિઓએ કરિ મંડિત દ્વારાનો ચલકાટ તે જાણે શુભ્ર પ્રકાશનો દ્વેષ કરતો હોયની! જેની શ્રેણીઓ પવાલાથી જડેલીઓ હતીઓ; સ્તંભો સુવર્ણના હતા. જ્યાં ત્યાં સુવર્ણના કળશો ઝળકી રહ્યા હતા. એવી વિવિધ શોભાયુકત જાણે પૃથ્વી ઉપર દેવતાઈ વૈમાનજ હોયની! એવું જિનમંદિર જોઈને અર્જુન અતિ પ્રસન્ન થયો. તેની નજીક એક બગીચો હતો. ત્યાં એક વાથ્ય જોવામાં આવી, તેમાં પેશીને અર્જુન નાહ્યો. પછી તે બગીચામાંથી નાના પ્રકારનાં પુષ્પો વીણીને તે મંદિરમાં પ્રવેશ કરચો. અને જીગાદિ જિનેશ્વરને `કાર કરી પ્રદૅક્ષિણા ને સ્તુતિ કરવા લાગ્યો. થલ: “નય નામિજી.લોર, નાદાર નિશા; ગવાક્ષેત્ર નાદુ:લ, નિહાય જ્ઞરુફ્ાગમ”! પછી નિમંદિરને અહિ તહિ ફ્રી જોઇને બાહાર નીકળ્યો. અને તે પર્વતની શિખર ઉપર ફરતાં જીવેછે તો એક પુરૂષ મણને માટે ઉદ્યમ કરેછે અને તેની પાશે એક સ્ત્રી મનાવે છે. તેણે તેના પગ ઉપર માથું મૂકેલું છે; તેના મુખમાં આંગળી દીધેલી છે, ઉપલું લૂગડું ખેંચી રહીછે . અને વારંવાર વિલાપ કરતી તથા નાયકને નિષેધ કરતી અર્જુને તેને દીઠી, તે અતિ સ્વરૂપવાન હોવાથી કુળવધુ દેખાઈ તેથી તેની પાશે જઇને તે મરણના ઉદ્યમી પુરૂષપ્રત્યે ધનંજય ખોલ્યો. અર્જુન-હે મહાભાગ્ય; હે ગુણજ્ઞ, નિર્ગુણી પુરૂષના જેવું કૃત્ય તમે કેમ કરોછો? આ મણનો ઉદ્યમ તમને શ! સારૂ કરવો પડેછે. એવાત પ્રસિદ્દ કરવામાં કાંઈ હરકત ન હોય તો સર્વ સાચી હકીકત મને કહી સંભળાવો કે,જેથી મારાથીખનતાઉપાયો કરીને તમારૂંદુ:ખનિવારણ કરવાનું યત્ન કરૂં. મરણોયુકત પુરૂષ—(હાથ જોડીને) હું પરોપકાર શિરોમણિ, તમારાથી ગુપ્ત રાખ્યા યોગ્ય કાંઈ છેજ નહી, આપ સરખાની પાશ ગુપ્ત વાત રાખીએ તો પછી પ્રગટ તે કોની પાશે કરિયે; આપની મુખમુદ્રાજ કહી આપેછે કે, આપ સર્વ દુ:ખ હરણ કરવાને સમર્થ છે. પરંતુ પોતે દુ:ખી છતાં બીજાને દુ:ખ દેવું યોગ્ય કહેવાય નહી. અર્જુન—હે પુરૂષ શિરોમણિ, આખા જગતની રક્ષા કરવાસારૂ કરૂવંશે નિયમ લીધો છે. એવું પાકું મનમાં જાણીને તું મારી પાશે સાચું બોલ. જેથી હું તારા દુ:ખનો અંત આણું. એમાં કાંઈપણ સંશય જાણવો નહી, મરણોયુકત પુરૂષ--હે ક્ષત્રિય કુલાવતા, શાંભળો મારી સર્વે હકીકત કહી સંભળાવુંછું. આ ચૈત્યની દક્ષિણદિશા તરફ એક રત્નપુર કરીને નગર છે. ત્યાં ચંદ્રાવતંશ નામે રાજા થઈ ગયો. તેની કનકસુંદરી નામે પટરાણી હતી. તેના ઉત્તરથી હું મણિચૂર નામનો પુત્ર ઉત્પન્ન થયોછું. અને ખીજી તેમને પ્રભાવતી નામની પુત્રી થઈ. મારી બાલ્યાવસ્થા વીત્યાપછી હું શિશુ અવસ્થામાં જ્યારે આવ્યો ત્યારે માતપિતાએ મને વિદ્યાકળા શિખવા ગુરૂને ઘેર મુકો. Jain Educationa International For Personal and Private Use Only ૧૨૭ www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy