SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ નેહરૂ થિી ૦૨ ૭.પ૦ છે. મુનિનાં વચને ભંગ કયા વિષે તારા મનમાં માત્ર ખેદ આણવું નહી. કેમકે, પ્રજાનું રક્ષણ કે Sણ કરવું તે તે આપણે ધર્મ છે; અને જે પરોપકારાર્થ કાર્ય કરાય છે તેમાં માત્ર દોષ હોતો અને છે નથી. માટે તારે વિદેશ જવાનું કોઈ કારણ નથી. . ભીમ–હે બંધુ અર્જુન, તારે આ થએલો મનોરથ મને ગમતું નથી. કેમકે, હું 45 તારા વિના કાયર થઈ જઈશ, તારા વિના હું ઘડી પણ કેમ રહી શકું. વળી તું પ્રવાસનેવિષે ગયાથી , અમને અનેક પ્રકારની ક્રિીડા કોણ કરાવશે. તારા વિના અમે બધા ઉદાશીને થઈ જશું; માટે છે એ ઈચ્છાને મુકી દે. ઈત્યાદિક સર્વ સ્વજનનાં વચને શાંભળી બૈર્ય રાખી તથા મનમાં પોતાના પ્રવાસને હેતુ રાખીને પોતાના વડીલો વગેરેને અર્જુન કહેવા લાગ્યો. અન–હે સર્વ સ્વજનો, આ વખતે આવી અતિ પ્રીતિ બતાવવી જોઇતી નથી; કેમ કેહું યોગ્ય કારણસર પ્રવાસ કરવા ચાહું છું. જે કર્તવ્ય છે તે કરવું જ જોઈએ. તેમાં કોઈએ આડે . આવવું નહીં. એ પ્રતિજ્ઞા જરૂર પૂરી થવી જોઈએ છે. માટે તમે મને રોકવા ઉપાય ન કરતાં હુ છે. જવાની આજ્ઞા આપે , જેથી મારે મરથ પૂર્ણ થાય અને મુનિનું વચન પણ સત્ય થાય. ) ( એવી ઘણી યુકિતઓએ કરી અને પોતાના કુટુંબીઓને સમઝાવ્યું અને ઘણી પ્રાર્થના (1) (9 કરી તેથી બધાનાં મન પિગળીને પાણી જેવાં થઈ ગયાં. પ્રેમના આવેશથી કોઈનાથી કઈ બે- લાય નહી એમ થયું. પછી પ્રથમ યુધિષ્ઠિરે ધર્મકત્ય જાણીને આજ્ઞા આપી. ત્યારે માતા ૧ છે પિતાને પગે પડી નમસ્કાર કરી તેઓની રજા લીધી. બીજા સર્વ કુટુંબીઓની યથાયોગ્ય આજ્ઞા લઈ તેઓના વચનને અનુમોદન વગેરે દઈને ત્યાંથી ચાલવાની તૈયારી કરી. તે પ્રસંગે મંગળમાં ભંગ થવાના ભયથી આંખમાંથી આંસુ લુછીને દ્રોપદી પાર્થ પ્રત્યે બોલવા લાગી. દ્રૌપદી–હે પ્રાણપ્રિય, પ્રેમાસ્પદનો વિયોગ સહન કરી શકે એવો માં કોઈ વિરલોજ 9) હશે. એવા સમયે મનને ગમે તેટલું વાળીએ તોપણ વળવા મુસ્કીલ થાય. પ્રિયતમનું મળવું ' એ સુખની શીમાં છે, અને પ્રિયતમને વિયોગ તે દુઃખની શીમાં . આપના વિયોગથી જે છે છે. મારા મનમાં ભાવ ઉત્પન્ન થાય છે તે કથન કસ્યા કરતાં સ્વત: આપને નિવેદન થશે. પરંતુ છે આપને દઢ નિશ્ચય જોઈને મારાથી ના બિલકુલ કહેવાતી નથી. માટે હું રાજી થઈને રજ આ- હ. વાર પુછું આપને પ્રવાસને વિષે સર્વ મંગળ થાઓ. સર્વ તીર્થાટન કરીને ફરી અમને જલદી આવી છે મળો. હવે આપ તો કશે. શુભ કૃત્ય કરવામાં વિલંબ કરવો જોઈએ નહી. પરંતુ મારી જ એટલી પ્રાર્થના છે કે, મને સર્વ પ્રકારે વીસરી જવું નહીં. મારી ઉપરથી માયા ઉતારી નાખવી ૭) નહી. અને વિદેશમાં જઈ ત્યાંથી કોઈ નવી કળા સીખી અને નવી લક્ષ્મી લઈને વહેલા પધારજો. (૯) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy