________________
તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત ત્રિભુવનતિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. ૬ સેળ પહર પ્રભુ દેશના, કઠવિવર વર્તલ; મધુર ધ્વનિ સુર નર સુણે, તેણે ગળે તિલક અમૂલ. ૭ હૃદયકમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રેષ; હીમ દહે વનખંડને, હૃદય તિલક સંતોષ. રત્નત્રયી ગુણ ઉજલી, સકલ સુગુણ વિશ્રામ, નાભિકમળની પૂજના, કરતાં અવિચલ ધામ. ઉપદેશક નવ તત્ત્વના, તિણે નવ અંગ જિર્ણોદ પૂજે બહુવિધ રાગશું, કહે શુભવીર મુણદ.
પ્રદક્ષિણાના દુહા. કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહીં પાર; તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ સાર. ભમતીમાં ભમતાં થકા, ભવ ભાવઠ ઘર પલાય; દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. જન્મ મરણાદિ સવિ ભય ટળે, સીઝે જે દર્શનકાજ; રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરે જિનરાજ. જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત; જ્ઞાન વિના જગજીવડા, ન લહે તવ સંકેત. ચયતે સંચય કર્મને, રિક્ત કરે વળી જેહ; ચારિત્ર નામ નિયુકતે કહ્યું, વદે તે ગુણગેહ. દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિર્ધાર ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org