SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કરવું તે અર્થાલંબન તથા જિન પ્રતિમાની ઉપર દષ્ટિ સ્થાપી રાખવી તે પ્રતિમાલંબન, એમ આલંબનના પણ ત્રણ પ્રકાર છે. (૯) મુદ્રાવિક–અર્થાત્ ગમુદ્રા, જિનમુદ્રા અને મુક્તાશુક્તિમુદ્રા એમ ત્રણ પ્રકારની મુદ્રાઓ સમજી ભાવિક પૂજકે યોગ્ય અવસરે તે મુજબ વર્તવું. બે હાથની દશે આંગળીઓને પરસ્પર મેળવી કમળના ડેડાના આકારે હાથ જોડી પેટ ઉપર કાણું રાખવી તે રોગમુદ્રા કહેવાય. આ મુદ્રાએ ખમાસમણ દેવા અને સ્તવનાદિ કહેવાં. બે પગના આંગળાની વચમાં આગળ ચાર આંગળ જેટલું અને પાછળથી સહેજ ઓછું અંતર રાખી ઉભા રહી કાઉસગ્ન કરે તે જિનમુદ્રા કહેવાય. આ મુદ્રાએ વાંદણ દેવાના છે, અરિહંત ચેઈઆણું આદિ કહેવાનું છે તથા કાઉસગ્ન કરવાના છે. બે હાથ સરખા ગર્ભિતપણે ભેગા કરી કપાળના મધ્યભાગમાં લગાડવા તેને મેતીની છીપ જેવી મુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રાએ જયવીયરાય આદિ ભણવાના છે. (૧૦) પ્રણિધાનવિક–(૧) જાતિ ચેઈઆઈ ગાથાથી ચૈત્યવંદનરૂપ પ્રણિધાન થાય છે, (૨) જાવંત કેવી સહુ ગાથાથી ગુરૂવંદનરૂપ પ્રણિધાન થાય છે અને જ્યવયરાય પ્રમુખ સૂત્રથી પ્રાર્થના સ્વરૂપ પ્રણિધાન થાય છે. એ ત્રણ પ્રકારના પ્રણિધાનનું સ્વરૂપ લક્ષમાં રાખવા યોગ્ય છે. દેરાસરમાં પ્રવેશ કરતી વેળા ઉક્ત દશત્રિક જાણવાની જેમ જરૂર છે તેજ પ્રકારે અભિગમનું સ્વરૂપ પણ લક્ષગત હેવું જોઈએ. અભિગમના પાંચ પ્રકાર છે. (૧) ફળ-ફુલાદિ સચિત્ત વસ્તુને ત્યાગ કરે. (૨) નાણુ-વસ્ત્ર-આભૂષણ આદિ અચિત્ત વસ્તુને ન છાંડવી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy