SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ श्यामं गभीरगिरमुज्ज्वलहेमरत्नसिंहासनस्थमिह भव्यशिखंडिनस्त्वाम् । आलोकयति रभसेन नदंतमुच्चैश्वामीकरादिशिरसीव नवांबुवाहम् ।। ભાવાર્થ–ભવિ જીવરૂપી મયૂરે તે આ સમવસરણને વિષે ઉજજવળ હેમ અને રત્નથી જડેલા સિંહાસનમાં બેઠેલા શ્યામવર્ણ યુક્ત અને ગંભીર વાણુવાળા આપને, જેવી રીતે મેરૂ પર્વતના શિખરમાં ઉંચે સ્વરે શબ્દ કરતા-ગર્જના કરતા નવીન મેઘને જ જુએ તેમ ઉત્સુકપણાથી જુએ છે. અર્થાત્ મેરૂ પર્વતને સ્થાને સિંહાસન સમજવું અને મેઘને સ્થાને પ્રભુનું શ્યામ શરીર તથા ગર્જનાને સ્થાને પ્રભુની વાતું સમજવી. - છઠ્ઠા પ્રાતિહાર્યને વિષે એવી ભાવના રહેવી જોઈએ કે– उद्गच्छता तव शितिद्युतिमंडलेन लुप्तच्छदच्छविरशोकतरुर्बभूव । सानिध्यतोऽपि यदि वा तव तिराग नीरागतां व्रजति को न सचेतनोऽपि।। ' અર્થાત્ ભગવાનના મહા તેજસ્વી ભામંડળને લીધે અશેકવૃક્ષની પત્રકાંતિ તથા રક્તતા પણ લપાઈ ગઈ, તેનું કારણ સ્પષ્ટ જ છે કે રાગદ્વેષ રહિત શ્રી વિતરાગ ભગવાનની સમીપતાના પ્રભાવે ચેતનવંત પ્રાણું નીરાગતા કિંવા નિર્મમત્વભાવને પામે એમાં આશ્ચર્ય જ નથી. પ્રભુની વાણું સાંભળવાથી જે અનહદ લાભ થાય છે, તેને એક બાજુ રાખીએ, પ્રભુના દર્શનથી જે દૈવી આનંદ પ્રકટે છે તેને પણ એક તરફ રહેવા દઈએ, તે પણ પ્રભુની સમીપતામાં રહેવા માત્રથી પણ કેટલો લાભ થાય છે તેનું આ લોકમાં સૂચન કરવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy