SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मोपदेशसमये सविधानुभावात् , आस्तां जनोभवति ते तरुरप्यशोकः। अभ्युद्भते दिनपतौ समहीरुहोऽपि, किंवा विबोधमुपयातिन जीवलोकः॥ ભાવાર્થ-હે પ્રભુ! આપ જ્યારે ધર્મોપદેશ આપે છે, ત્યારે આપની પાસે વૃક્ષ પણ અશેક થઈ જાય છે તે પછી મનુષ્ય શોકરહિત થાય એમાં આશ્ચર્ય જ શું છે? વળી, તેમ બને એ અ સ્વાભાવિક પણ નથી. (કારણકે) સૂર્યોદય થવાથી મનુષ્ય જ માત્ર વિબોધ કિંવા વિકાસને નથી પામતાં, પણ વનસ્પતિ સુદ્ધાં પત્ર સં. કેચાદિ લક્ષણવાળી નિદ્રાને ત્યાગ કરી વિકાસને પામે છે, એ સર્વજન પ્રસિદ્ધ વાત છે. બીજા પ્રાતિહાર્યના સંબંધમાં સૂરીશ્વર મહારાજ વદે છે કેचित्रं विभो ! कथमवाङमुखलुतमेव, विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश, गच्छति नूनमध एव हि बंधनानि । ભાવાર્થ–હે સ્વામિન! દેવતાઓ જ્યારે પુષ્પની વૃષ્ટિ કરે છે, ત્યારે તે પુષ્પ મુખ ઉંચું રાખીને તથા બીટ-બંધન નીચું રાખીને પૃથ્વી ઉપર પડે છે એ આશ્ચર્યકારક છે, પરંતુ તે પણ એક રીતે તે બનવાજોગ જ છે. કારણકે આપની સમીપે શોભાયમાન કિંવા પવિત્ર મનવાળાનાં અંતર-બાહ્ય બંધને અધમુખ થાય અને ભાવમુખ ઉભુખ થાય એ તે સ્વાભાવિક જ છે. પ્રભુના પ્રભાવથી ભવ્યલોકના ચિત્ત ઉપર કેવી મનહર અસર થાય છે, તેનું આમાં સૂચન કરવામાં આવ્યું છે. જેવી રીતે પુષ્પના બંધને નીચે ઢંકાઈ રહે છે અને પાંદડીઓ વિકસી રહે છે તેવી જ રીતે પ્રભુના દર્શન માત્રથી ભવ્ય પ્રાણીઓના મેરેમમાં વિકસ્વરતા પ્રાપ્ત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy