SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ વ્યાપારમાંથી મનને રેકી પવિત્ર ચિંતનમાં અથવા કલ્યાણુકર ધ્યા નમાં તેને જોડવું એ અત્યાવશ્યક છે. પવિત્ર મનદ્વારા થયેલી પ્રાર્થના કિંવા ભાવના ફળ આપ્યા વગર રહેતી જ નથી. ભલે, કદાચ સંપૂર્ણ પવિત્ર મનથી દેવમંદિરમાં ન જવાય, કારણ કે મનને દઢપણે વશીબૂત રાખવું એ સહજ વાત નથી તે પણ પ્રભુનાં દર્શન આપણું હૃદય ઉપર પવિત્રતાની અસર કરે, આપણું મનને થોડી ક્ષણે પર્યત શુચિતામય બનાવે, એવી રીતની માનસિક તત્પરતા તે અવશ્ય હોવી જ જોઈએ. શુદ્ધ થયેલું મન પ્રભુના ધ્યાનમાં સહેલાઈથી તલ્લીન થઈ શકે છે. ધ્યાન એવી વસ્તુ છે કે જે તમે હૃદયના ઉંડા–સાચા ભાવથી પ્રભુનું ધ્યાન કરતા હો તે કાળક્રમે પ્રભુરૂપ બન્યા વગર રહે નહીં. દાખલા તરીકે ઓળને ભ્રમરી જ્યારે પ્રથમ ડંસ મારે છે, ત્યારે એળ ( ઈલિકા) પિતાનું ભાન ભૂલી જઈ ભમરીના ધ્યાનમાં એવી તલ્લીન બની જાય છે કે અંતે પિતે ભ્રમરીરૂપ બન્યા વગર રહેતી નથી. એવી જ રીતે જે મનુષ્ય જે વસ્તુનું અંત:કરણપૂર્વક ધ્યાન કરે છે, તેઓ તે વસ્તુરૂપ બન્યા સિવાય રહેતા નથી. દેવમંદિરમાં આપણે પ્રભુના સ્વરૂપનું યથાર્થ ચિંતન કિવા ધ્યાન કરી શકીએ, તેટલા માટે મનઃશુદ્ધિની સર્વથી પ્રથમ આવશ્યક્તા છે. મનને શુદ્ધ કરવાના અનેક માર્ગો છે, પણ વિસ્તારના ભયથી તે અત્રે દર્શાવ્યા નથી. તે પણ વૃત્તિ ઉપર સંયમ રાખવાથી, સાધુ-મુનિઓના સમાગમથી અને સાત્વિક આહાર-વિહારથી મન:શુદ્ધિ થઈ શકે છે એમ પ્રસંગોપાત કહી દેવું જોઈએ. ખેડાયા વગરની ભૂમિમાં બીજ બરાબ૨ ઉગી નીકળતું નથી, અસ્વચ્છ દર્પણમાં જેવું જોઈએ તેવું પ્રતિબિંબ પડતું નથી, તેવીજ રીતે દેવદર્શને જતાં પહેલાં મનક્ષેત્ર બરાબર કેળવાવું જોઈએ, તથા મનરૂપી અરીસે ચોગ્ય પ્રકારે સ્વચ્છ કરજોઇએ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy