SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ७ કે એવાજ કેાઈ ગરદીના સમયે તેા આ નિયમ ખાસ કરીને યાદ શખવા એ અમારી ભલામણ છે. વળી પ્રભુદર્શન અર્થે પ્રભુજીની પ્રતિમા પાસે છેક નજીકમાં અવિવેકથી દોડી જવુ એ પણ ઉચિત નથી. શાસ્ત્રમાં ત્રણ અવગ્રહો દર્શાવવામાં આવ્યા છે, તેના એજ હેતુ છે કે જધન્ય અવગ્રહમાં, જિનેશ્ર્વર પ્રભુથી ૯ હાથ દૂર ઉભા રહીને પશુ ચૈત્યવંદન થઈ શકે છે, મધ્યમ અવગ્રહમાં ૯ હાથથી વધારે અને સાઠ હાથની અંદર રહી વંદના થઇ શકે છે, અને ત્રીજા ઉત્કૃષ્ટ અવગ્રહમાં સાઠ હાથ દૂર રહીને પણ વંદના થઇ શકે છે. વદનના પણ ત્રણ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. (૧) નવકાર તથા લેાક દિ ખાલી જે પ્રભુવંદના કરાય તે જઘન્ય વદના કહેવાય છે, (૨) ચૈત્યવંદન કરી નમુક્ષુણુના પાઠ ભણ્યા પછી ઉભા થઇ અરિહંત ચેઈયાણુ કહી કાઉસગ્ગ કરી–પારી સ્તુતિ કહેવી તે મધ્યમ વંદના કહેવાય છે, અને (૩) જેમાં પાંચે દંડકા અને ચાર સ્તુતિ કહ્યા પછી જાવ'તિ ચેઇયાએ, જાવત કેવિ સાહુ અને સ્તવન કહી ચવીરાય પર્યંત વિધિપૂર્વક કહેવામાં આવે તેને ઉત્કૃષ્ટ વંદના કહેવામાં આવે છે. દેવ-દર્શોને જતાં દેવ શબ્દના અર્થ ખરાખર સમજી લેવા જોઇએ. કારણકે દેવનું સ્વરૂપ યથાર્થ સ્વરૂપે સવના પરિચય. સમજાયું ન હોય તે પછી આપણે કોનુ અને શા માટે દર્શન કરીએ છીએ તે તેા સમજાય જ ક્યાંથી ? દેવ શબ્દ મૂળ સ ંસ્કૃત દિવ્ ધાતુ ઉપરથી ઉત્પન્ન થયા છે. દિવના અર્થ પ્રકાશ કરનાર અથવા ક્રીડા કરનાર એવા થાય છે. અર્થાત્ જે જ્ઞાનના પ્રકાશ કરે કિવા આત્મસ્વરૂપમાં ક્રીડા કરે તે દેવ-સદેવ કહેવાય. જે ગેાપીઓની સાથે ક્રીડા કરે કિવા શૃંગાર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy