SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાનું લક્ષ દેરવું જોઈએ. એટલે કે મંદિરમાં કયાં અશુદ્ધ જેવું કે અવ્યવસ્થા જેવું જણાતું હોય તે સ્વાર્થ રહિત બુદ્ધિએ સુધારવાને પ્રયત્ન કરે, યા કરાવે, અને એ રીતે દર્શનાભિલાષથી આગળ વધવું. પછી અનેક ઉત્તમ ઉત્તમ દ્રવ્ય વડે દ્રવ્ય પૂજા કરી દ્રવ્યપૂજાથી મુકત થઈ શાંતભાવે સ્તવન આદિને પાઠ કરી પ્રભુના ગુણોમાં તલ્લીન થવાને અભ્યાસ કરે. આ પ્રકારની વિધિથી જે ધર્મક્રિયા કરવામાં આવે તે અમે શ્રીમન દેવચંદ્રજી મહારાજના જે શબ્દો ઉપર ટાંક્યા છે તે ચરિતાર્થ થયા વગર ન રહે. વળી શ્રીમાન આનંદઘનજી મહારાજ પણ સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં “દ્રવ્યભાવ શુચિભાવ ધરીને હરખે દેહરે જઈએ રે, દહતિગ પણ અહિગમ સાચવતાં એકમના ધુરિ થઈએ રે.” અર્થાત્ દર્શન-પૂજાથે જતાં પહેલાં નિર્મળ જળથી સ્નાન વિગેરે કરી લેવું, નિસિદ્ધિ આદિ દશત્રિક અને પાંચ અભિગમ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે તે સર્વ રીતે સાચવતાં થકા પૂરેપૂરા હર્ષથીભાવથી પ્રભુની સેવા કરવી. પ્રભુદર્શન અથવા પ્રભુભક્તિ કરતી વખતે એક બે બાબતે જે આપણે સામાન્ય રીતે લક્ષમાં રાખવી જોઈએ તે પણ પ્રસંગોપાત આ સ્થળે જણાવવું ઉચિત ધાર્યું છે. પ્રભુને વંદન કરતી વેળા પુરૂષોએ પ્રભુની જમણી દિશાએ તથા સ્ત્રીઓએ પ્રભુની ડાબી દિશાએ ઉભા રહેવાનું ભૂલી જવું નહીં. દેરાસરના પ્રમાણમાં દર્શને આવનારા ભાઈઓ અને બહેનોની સંખ્યા વધારે હોય છે ત્યાં ઉક્ત નિયમ નહીં સચવાવાના કારણે અનેકેને ચિત્તકલેશ થવાને પ્રસંગ આવે છે. માટે યાત્રાના સમયે, આંગીના સમયે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy