SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ બચાવ જ છે, એમ કહીએ તે ખોટું નથી. જેમ બને તેમ શાંત ચિત્તે, ઉતાવળ કર્યા વિના–હેઠે હૈયે શુદ્ધ સ્થાને અંગશુદ્ધિ કરી, શુદ્ધ વસ્ત્રોનું પરિધાન કરી જિનમંદિરે જવાનું દરેક શ્રાવકે લક્ષમાં રાખવું જોઈએ. જિનમંદિર તરફ કેવળ દર્શન હેતુથી એક એક ડગલું ભરનાર વિશુદ્ધાત્મા અનેક કર્મોને ખપાવતે જાય છે, તે કથન ત્યારે જ સાર્થક થાય કે જ્યારે આપણે મન-વચન-કાયાના પાપમય વ્યાપારેને નિરોધ કરી બહજનિર્મળ ભાવમાં આરૂઢ થઈ જિનમંદિર તરફ ગતિ કરીએ. દર્શન કરવા જનારા ભાવિક શ્રાવકેએ, શાસ્ત્રકારે જેને “નૈધિક ત્રિક કહે છે, તે ખાસ સ્મરણમાં રાખવા એગ્ય છે. આ ત્રિકને સંક્ષિપ્ત સાર એટલો જ છે કે (૧) ઘરના અથવા સંસારના પ્રપંચમય વ્યાપારેથીનિવર્તવાને દેરાસરના અગ્રદ્વારમાં પ્રવેશ કરતી વખતેજ સંકલ્પ કરે અને તે માટે ત્રણવાર નિસિહી ભણવી, (૨) ગભારામાં પેસતાં દેરાસરના વ્યાપારથી અર્થાત્ દેરાસર સંબંધી વ્યવસ્થાથી નિવર્તવા પુન: ત્રણવાર નિસિહી કહેવી અને (૩) દ્રવ્યપૂજાના વ્યાપારથી પરવાર્યા પછી ભાવપૂજા અર્થે ત્રીજીવાર ત્રણવાર નિસિહી કહેવી. આ વિધિ જે યથાર્થભાવે પાળવામાં આવે તે જિનદેવનાં દર્શનને હેતુ ફળિભૂત થયા વગર રહે નહીં. ઘરમાંથી દેવદર્શન નિમિત્તે નીકળ્યા પછી આપણામાંના કેટલા બધુઓ સંસારની ગડમથલમાં માથું નહીં મારતા હોય? ઠેઠ દેરાસરના ઓટલા સુધી પહોંચવા છતાં પણ આપણને આપણું નિત્યના રાગ-દ્વેષવાળા વાણું વ્યાપારમાંથી છૂટા થવાનું સૂજતું નથી એ આપણી હેટી શિથિલતા છે. કેટલીકવાર તે દેરાસરમાં પણ સ્નાન અને પૂજા નિમિત્તે કલેશ થતા જોવામાં આવે છે. આ દશ્ય ઓછું ખેદકારક નથી. દેરાસરમાં પહોંચ્યા પછી ભાવિક શ્રાવકોએ દેરાસરની વ્યવસ્થા પાછળ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy