SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ કાડ-૧ - ગાથા-૩૦ સન્મતિપ્રકરણ પર્યાયાર્થિકનયને માન્ય ભેદના સંક્ષેપમાં બે પ્રકારો - जो उण समासओ च्चिअ, वंजणणिअओ य अत्थणिअओ य । अत्थगओ य अभिण्णो, भइयव्वो वंजणवियप्पो ॥ ३० ॥ (યઃ પુનઃ સમાત ઇવ, નિયતિનિતિશ ! અર્થાતઋમિત્રો, મનનીયો ઐશ્નનવન્ત: | ૩૦ ||) ગાથાર્થ - વળી જે આ વિભાગ (ભેદ) છે. તે સંક્ષેપથી વ્યંજનનિયત અને અર્થનિયત એમ બે પ્રકારનો છે. તેમાં જે અર્થનિયત વિભાગ છે તે અભિન્ન છે. તેના ઉત્તરભેદો નથી) જ્યારે જે વ્યંજનનિયત વિકલ્પ છે તે ભજનાવાળો છે. (ભેદ-અભેદ યુક્ત છે.) | ૩૦ || વિવેચન - જગતના સઘળા પણ પદાર્થો ભેદ અને અભેદ એમ ઉભયસ્વરૂપ છે. તેમાં “સ” પણે અભેદ રૂપે જણાતા અર્થાત્ સત્ પણે એકરૂપે રહેલા તે પદાર્થોમાં જ્યારે જ્યારે દ્રવ્યભેદ, ક્ષેત્રભેદ, કાલભેદ અને ભાવભેદને આશ્રયી અનેક જાતના ભેદોની કલ્પના કરવામાં આવે છે. ત્યારે ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મ વિચારધારા પ્રમાણે વિચારતાં તે ભેદો વધતા જ જાય છે અર્થાત્ અનેક ભેદો થાય છે. તે અનંતભેદોમાં કેટલાક શબ્દોથી વાચ્ય (બોલી શકાય તેવા) હોય છે. અને કેટલાક ભેદો પદાર્થોમાં હોય છે ખરા પણ ઘણા જ ઘણા સૂક્ષ્મ હોવાથી શબ્દોથી અવાચ્ય ન કહી શકાય તેવા) હોય છે. જે ભેદો શબ્દોથી વાચ્ય હોય છે તે વ્યંજનનિયત, અર્થાત્ વ્યંજનગત અથવા વ્યંજન પર્યાય કહેવાય છે અને જે શબ્દોથી અવાચ્ય હોય છે તે અર્થનિયત અર્થાત્ અર્થગત અથવા અર્થપર્યાય કહેવાય છે. એટલે કે જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ શબ્દપ્રમાણે વ્યંજનપર્યાય અને અર્થપર્યાય કહેવાય છે. જેમ કે સ્ત્રી-પુરૂષ અને નપુંસક આ ત્રણે પ્રકારના જીવો મનુષ્યપણે સમાન હોવાથી “આ મનુષ્યો છે” આમ કહેવું કે માનવું તે અભેદગામી દૃષ્ટિ હોવાથી દ્રવ્યાર્થિકનાય છે. પરંતુ તે ત્રણે મનુષ્યોમાં “આ સ્ત્રી છે. પેલો પુરૂષ છે. તે નુપંસક છે.” આમ વિભાગથી જોઈએ, બોલાવીએ, વિચારીએ અથવા માનીએ ત્યારે તે ભેદગામી દૃષ્ટિ હોવાથી પર્યાયાર્થિકનય છે. તેમાં આ પુરૂષ છે. પણ સ્ત્રી કે નપુંસક નથી. આવો પુરૂષપણે જે વિભાગ (ભેદ) કર્યો તે શબ્દોથી બોલી શકાય છે. માટે વ્યંજનપર્યાય કહેવાય છે. વળી જન્મે ત્યારથી જ આ પુરૂષ છે તે જીવે ત્યાં સુધી પ્રતિસમયે પુરૂષ જ રહે છે. એટલે પુરૂષપણાનો એકસરખો પરિણામ (પરિવર્તન)નો પ્રવાહ જ રહે છે. ભલે તે મનુષ્ય પુરુષપણે નાનો-મોટો થાય તો પણ પુરૂષત્વ ચાલુ ને ચાલુ જ રહે છે. તે જીવમાંથી પુરૂષત્વ દૂર થતું નથી. તેથી તે સદેશપરિણામપ્રવાહ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી (મૃત્યુ ન પામે ત્યાં સુધી) “આ પુરૂષ છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy