________________
૮૧
સન્મતિપ્રકરણ
કારડ-૧ – ગાથા-૨૯ ૪. સ્થાવરના પૃથ્વીકાયાદિ પાંચ અને ત્રસના બેઇજિયાદિ ચાર ભેદ છે. તે પર્યાયાર્થિક
નયનો ત્રીજો ભેદ છે. પ. પૃથ્વીકાયાદિના સૂક્ષ્મ-બાદર અને બેઈન્દ્રિયાદિના પર્યામા-અપર્યાપ્તા વિગેરે ભેદ છે.
તે પર્યાયાર્થિકનયનો ચોથો ભેદ છે.
આ પ્રમાણે જેમ જેમ ભેદ તરફ વક્તાનો આશય ઢળતો જાય છે. તે સઘળો પર્યાયાર્થિકનયનો માર્ગ છે. “ત્રસ હોય કે સ્થાવર હોય પણ આખર બન્ને જીવ છે. બન્ને જીવપણે સમાન છે આવી દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકનાય છે અને જીવના બે ભેદ છે એક ત્રસ અને બીજો સ્થાવર. આમ ભેદગામી જે દૃષ્ટિ તે પર્યાયાર્થિકાય છે. અભેદગામી પણ નાની-મોટી અનેક દૃષ્ટિઓ છે અને ભેદગામી પણ નાની-મોટી અનેક દૃષ્ટિઓ છે તે અનુક્રમે બન્ને નયોનું સ્વરૂપ છે.
જેમ “સ” પણે ઐક્ય પામેલા દ્રવ્યોનો ધર્મ-અધર્મ આદિ સ્વરૂપે દ્રવ્યભેદ કર્યો, તેમ કોઈ પણ એકદ્રવ્યનો કાલ આશ્રયી પણ અભેદ અને ભેદ થાય છે. જેમકે કોઈ પણ એક જીવદ્રવ્ય દ્રવ્યસ્વરૂપે અનાદિ-અનંત (નિત્ય) છે. આમ માનવું તે (સાંખ્ય-નૈયાયિકવૈશેષિકાદિની જે દૃષ્ટિ છે તે) દ્રવ્યાર્થિકનય છે અને તે એક જ જીવને ક્ષણે-ક્ષણે થતા પરિવર્તન (પર્યાય)ને આશ્રયી ભિન્ન ભિન્ન માનવો તે (બૌદ્ધાદિની દૃષ્ટિ) પર્યાયાર્થિકનાય છે. આના ઉપરથી સમજાશે કે જ્યારે જ્યારે વસ્તુના અભેદ સૂચક વક્તાના અભિપ્રાયો હોય છે ત્યારે તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય બને છે અને જ્યારે જ્યારે વક્તાના તે અભિપ્રાયો વસ્તુના ભેદસૂચક બને છે ત્યારે ત્યારે તે પર્યાયાર્થિકનયનું વક્તવ્ય કહેવાય છે. આમ જગત આખું ઉભયાત્મક છે. માટે તે ઉભયાત્મક સ્વરૂપને જાણનારી-જોનારી-કહેનારી, સમજનારી અને સમજાવનારી એવી જે દૃષ્ટિઓ (નયો) છે તે પણ બે છે. અને આ જ બન્ને નયો (અર્થાત્ તેના પેટાભેદ રૂપ છ નયો) જો બીજા નયની ગૌણપણે અપેક્ષા રાખીને પોતાનું મંતવ્ય રજુ કરે તો તે સુનય (સમ્યગ્નય) છે. અને બીજા નયની અવગણના કરીને પોતાનું મંતવ્ય રજુ કરે તો તે દુર્નય (મિથ્યાનય-મિથ્યાત્વ) છે. આમ સમજવું.
આ કારણથી જૈનેતર દર્શનોની કોઈ પણ એકનય તરફ ઢળેલી એવી દૃષ્ટિ છે કે તેઓ પોતાના વક્તવ્યમાં બીજા નયની માન્યતાની સર્વથા અવગણના કરીને વસ્તુનું સ્વરૂપ પોતે માનેલી માન્યતાવાળું જ છે આમ એકાન્ત કહે છે. માટે જ તે સર્વે દર્શન દુર્નયવાદીમિથ્થારૂપ છે. જૈનદર્શન જ એક એવું છે કે બીજા નયની વાતને પોતાનામાં ગૌણપણે પણ સામેલ રાખીને જ વસ્તુ સ્વરૂપ જણાવે છે તેથી તે સુનય (સમ્યકત્વ) છે. સંક્ષેપમાં સાર એ છે કે “અભેદગામી જે દૃષ્ટિ તે દ્રવ્યાર્થિક નય, અને ભેદગામી જે દૃષ્ટિ તે પર્યાયાર્થિકનય, અન્ય નયથી નિરપેક્ષ જે દૃષ્ટિ તે દુર્નય, અને અન્યનયથી સાપેક્ષ જે દૃષ્ટિ તે સુનય જાણવો. રહા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org