SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૧ – ગાથા-૨૯ સન્મતિપ્રકરણ બધા જ મનુષ્યો મનુષ્યપણે સમાન છે. અભિન્ન છે. છતાં બ્રાહ્મણ - ક્ષત્રિય - વૈશ્ય અને શુદ્રપણાની અપેક્ષાએ ભિન્ન પણ છે. દેવાદિ ચારે ગતિના જીવો જીવપણે અભિન્ન છે. છતાં દેવ-નારકી-તિર્યંચ અને મનુષ્યપણે ભિન્ન પણ છે. આમ ભેદ અને અભેદ બન્ને ભાવો હોવા છતાં પણ અભેદ તરફ ઢળેલી જે દૃષ્ટિ, એટલે કે સર્વે પણ દ્રવ્યો અનાદિ-અનંત છે. frä = નિત્ય છે. સદાકાલ છે. આવી ઐક્યતા તરફ જે દૃષ્ટિ છે. તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે. તથા પ્રતિસમયે થતા પર્યાયોની અપેક્ષાએ જે ભેદ છે તેને ગૌણ કરીને વિયu = વિકલ્પો વિનાની (ભેદ વિનાની) વસ્તુસ્વરૂપને જોનારી જે દૃષ્ટિ છે. તે દ્રવ્યાર્થિકનયનું વક્તવ્ય છે. કોઈપણ બે પદાર્થો વચ્ચેના અભેદથી પ્રારંભીને સર્વે દ્રવ્યોના અભેદ સુધીના ઐક્યને જણાવનારી જે વિચારસરણી = દૃષ્ટિ તે દ્રવ્યાર્થિકાય છે. ત્યાં સૌથી વધારે વ્યાપક, સર્વના અપરિમિત અભેદને જણાવનારી એવી “સ”પણાની જે અભેદગામી દૃષ્ટિ છે. તે દ્રવ્યાકિનયનું અન્તિમ વક્તવ્ય છે. ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુગલ અને જીવ આ છ દ્રવ્યોથી જગત ભરેલું છે. પ્રથમનાં ત્રણ દ્રવ્યો એક એક છે અને પાછલાં ત્રણ દ્રવ્યો અનંત-અનંત છે. આમ કુલ મૂલરૂપે છે અને વ્યક્તિરૂપે અનંત દ્રવ્યો છે. તો પણ “સ” પણે સર્વે એકરૂપ છે. ધર્મદ્રવ્ય પણ સત્ છે અને અધર્મ દ્રવ્ય પણ સત્ છે. એમ આકાશાદિ શેષ દ્રવ્ય પણ સંસારમાં સત્ છે. આવા પ્રકારની સત્ પણે ઐક્યતાની જે દૃષ્ટિ છે. તે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ છે. અને તે અન્તિમ છે. કારણકે સત્પણાની આ ઐક્યતામાં કોઈ બાકી જ રહ્યું નથી કે તેનાથી વધારે વ્યાપક ઐક્ય બની શકે – સર્વ વિશ્વ એક રૂપ છે. સર્વ વિશ્વ એક બ્રહ્મરૂપ છે. ઈત્યાદિ જેટલા અદ્વૈતવાદો ચાલે છે અથવા આવા આવા પ્રકારની અદ્વૈતવાદની જે જે માન્યતાઓ પ્રવર્તે છે તે સઘળી માન્યતાઓ આ નય તરફ ઢળેલી દૃષ્ટિ (આશય) વાળી છે. મરદ્ધો ય વિમા = જ્યારે તેમાં ભેદ તરફ દ્રષ્ટિ શરૂ થાય છે ત્યારથી પવવત્તધ્યમો ય = પર્યાયાર્થિક નયનું વક્તવ્ય શરૂ થાય છે. ૧. આખું વિશ્વ “સ” પણ એક છે. અદ્વૈત છે. આમ માનવું તે દ્રવ્યાર્થિકનયનો (અભેદગામી વ્યવહારનો) અન્તિમ ભેદ છે. ૨. “સ” પણે વિશ્વ જે એક સ્વરૂપ છે. તેના જ ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ અને જીવ એમ છ ભેદ છે. આવા પ્રકારની ભેદને કરનારી જે બુદ્ધિ છે. તે પર્યાયાર્થિકનયનો પ્રારંભ (પ્રથમ ભેદ) છે. ૩. તે છ દ્રવ્યોમાં જે જીવદ્રવ્ય છે. તેના ત્રસ અને સ્થાવર એમ બે ભેદ છે. આ પર્યાયાર્થિકનયનો બીજો ભેદ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy