SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાર્ડ-૧ – ગાથા-૨૯ પ૯ ઉલટું અનેકાન્તવાદને જાણનારો જૈનશાસ્ત્રોનો સાચો અભ્યાસી તે પુરુષ કોઈપણ એકનયની માન્યતાને એવી રીતે રજુ કરે છે કે તેમાં વિરોધી એવા બીજા નયની વાતનો પણ ગૌણતાએ સમન્વય થાય છે. વિરોધી એવા બીજા નયની માન્યતાને જે નય પોતાની માન્યતા સાથે ગૌણતાએ પણ સાંકળી લે છે તે જ નય સુનય (સમ્યગ્નય) બને છે. જૈનશાસ્ત્રજ્ઞ પુરુષ પોતે સાપેક્ષનયને સુનય અને નિરપેક્ષનયને કુનય માને છે અને જોરશોરથી જગતમાં આવું સાપેક્ષપણે જ વસ્તુ સ્વરૂપ જાહેર કરે છે. અનેકાન્ત સ્વરૂપને જાણનારા પુરુષનો સ્વભાવ બન્ને નયોને પ્રધાન-ગૌણભાવે સાથે સાંકળી લેવાનો હોવાથી જ્યાં ત્યાં તે “કથંચિ” “ચા” “અપેક્ષા” “વિવક્ષા” આવા શબ્દોનો પ્રયોગ કરીને જ વાક્યોનું ઉચ્ચારણ કરે છે. કદાચ કોઈક વખત કથંચિત્ આદિ શબ્દો મુખથી ન બોલાયા હોય તો પણ હૈયામાં તેવા આશયપૂર્વક જ વાક્યોનું ઉચ્ચારણ કરે છે. માટે જૈનશાસ્ત્રોના મર્મને જાણનારા મહાત્માઓ કથંચિત્ સામાન્ય, કથંચિ વિશેષ, કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન, કથંચિત્ સત્, કથંચિત્ અસત્ ઇત્યાદિ શબ્દો બોલવાપૂર્વક જ વસ્તુના સાચા સ્વરૂપને સમજનારા અને સમજાવનારા હોય છે. એકાન્તપૂર્વક સાચાખોટાનો જે ભેદ કરે છે તે જૈનશાસ્ત્રોના સાચા જ્ઞાતા નથી. ૨૮ || દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને નયોની વિષયમર્યાદા - दव्वट्ठियवत्तव्वं, सव्वं सव्वेण णिच्चमवियप्पं । आरद्धो य विभागो, पज्जववत्तव्वमग्गो य ॥ २९ ।। (द्रव्यार्थिकवक्तव्यं, सर्वं सर्वेण नित्यमविकल्पम् । મારવ્યશ વિમ:, પર્થવવેવ્યમાશ | ૨૬ II) ગાથાર્થ - સર્વે પણ વસ્તુ સર્વ પ્રકારે નિત્ય છે અને ભેદ વિનાની છે. આવું વક્તવ્ય દ્રવ્યાર્થિકનયનું છે. અને જ્યારે ભેદનું કથન આરંભાય છે ત્યારથી પર્યાયાર્થિકનયનો માર્ગ શરૂ થાય છે. | ૨૯ / વિવેચન - જગતના તમામ પદાર્થો ભેદ અને અભેદ એમ ઉભયાત્મક છે. સામાન્ય ધર્મની અપેક્ષાએ અભેદ અને વિશેષ ધર્મની અપેક્ષાએ ભેદ છે. જગતનું આ વાસ્તવિક સ્વરૂપ છે અને તે યથાર્થ જ છે. તથા સ્વયં છે જ. કોઈ ઈશ્વરાદિ અન્ય વડે કરાયેલું - કૃત્રિમ પણ નથી અને કલ્પનાકૃત પણ નથી - વાસ્તવિક છે. પરિણામિક ભાવવાળું છે. વસ્તુનું સહજ સ્વરૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy