________________
કોડ-૧ – ગાથા-૨૮
૫૮
સન્મતિપ્રકરણ સાચો છે. કારણ કે કોઈને કોઈ ધર્મથી વસ્તુમાં વિશેષતા-ભિન્નતા પણ છે. તેવી જ રીતે કારણમાં કાર્ય અસત્ પણ છે અને તેથી જ પર્યાયરૂપે પ્રગટ થાય છે એમ માને છે તે પણ પર્યાયસ્વરૂપે સાચું છે. તલમાં તેલ આવિર્ભાવ (પ્રગટ પર્યાય સ્વરૂપે) નથી, તો જ થાય છે. માટીમાં ઘટ પ્રગટ પર્યાય રૂપે નથી તો જ બને છે. તખ્તઓમાં પટ, પટપર્યાયરૂપે અવિદ્યમાન છે. તો જ થાય છે. માટે આ રીતની પર્યાયાર્થિક નયની જે માન્યતા છે. તેને જ જો તે રજુ કરે પણ બીજાનું ખંડન તે નય ન કરે તો વસ્તુ સ્વરૂપ તેવું પણ હોવાથી તે નય પણ સાચો છે. આ રીતે સંગ્રહ-વ્યવહાર આદિ ઉત્તરનો પણ જો પોત પોતે માનેલી માન્યતાને રજુ કરવાની મર્યાદામાં વર્તે તો તે સર્વે પણ નયો યથાર્થવાદી હોવાથી સાચા છે કારણ કે વસ્તુનું સ્વરૂપ પણ અપેક્ષાવિશેષે તેવું તેવું છે. અને જેવું સ્વરૂપ છે તેવું તે નય કહે છે માટે સાચા છે.
પરંતુ તે મર્યાદાનો ભંગ કરીને પોતાની માનેલી માન્યતાને એવી કાર પૂર્વક રજુ કરે કે જેમાં બીજા નયની વકતવ્યતાનું નિરાકરણ (ખંડન) થાય. અર્થાત્ બીજા નયની માન્યતાનું ખંડન કરવાના આશયપૂર્વક જ પોતાની વાત ઉપર ભાર દેવાતો હોય, pવર (જકાર) પૂર્વક વાત કરાતી હોય ત્યારે તે સઘળા પણ નથી પરવયાત્રાને મોદ = બીજા નયે માનેલી માન્યતાનું ખંડન કરવાના આશયથી તેવી વિચારણામાં માથું મારનારા જયારે થાય છે. ત્યારે તે નયો મિથ્યા સ્વરૂપે બને છે. કારણ કે કોઈપણ એક નય એકાન્ત જેવું વસ્તુસ્વરૂપ કહે છે. તેવું વસ્તુસ્વરૂપ તે પદાર્થમાં નથી. આ કારણથી તે તે નય અયથાર્થવાદી બનવાથી મિથ્થારૂપ બને છે.
જેમ સોનાના ટુકડાને સોનું કહે તે યથાર્થવાદી હોવાથી સાચો છે અને પિત્તલના ટુકડાને સોનું કહે તે અયથાર્થવાદી હોવાથી મિથ્યા છે. તેમ જે નય વસ્તુના એકલા સામાન્ય સ્વરૂપને જ કહે અથવા એકલા વિશેષ સ્વરૂપને જ કહે તો તે બન્ને નો એકાન્તવાદી બનવાથી વસ્તુના અયથાર્થ સ્વરૂપના વાચક થવાથી મિથ્યારૂપ બને છે. આ કારણથી બધા જ નયોના વકતવ્યને સમજનારો અને આગળ અપેક્ષા વિશેષ લગાડીને સમન્વય કરનારો જૈનશાસ્ત્રજ્ઞ પુરુષ બધા જ નયોને યથાસ્થાને જોડે છે. અનેકાન્ત સ્વરૂપને જાણનારો તે પુરુષ બધા જ નયોની માન્યતા જાણતો હોવા છતાં પણ યથાસ્થાને અપેક્ષાવિશેષે જ તે તે નયનું નિયોજન કરનાર હોવાથી ઉતાવળીયા સ્વભાવે “આ જ નયો સાચા છે અને આ નવો ખોટા છે” આવો વિભાગ કદી કરતો નથી. કોઈપણ એક નાની માન્યતા ઉપર એકાન્ત ભાર આપતો નથી. જો આવો વિભાગ કરે અથવા એકાન્તવાદ ઉપર ભાર આપે તો સમજવું કે તે પુરુષ જૈનશાસ્ત્રોનો સાચો જ્ઞાતા નથી, અને સાચો જ્ઞાતા જે હોય છે તે આવો એકાન્તપૂર્વક સાચા-ખોટાનો વિભાગ કરતો નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org