________________
સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૨૮
૫૭ એ કલ્પના રૂ૫ છે મતિ-શ્રુતજ્ઞાનનો વિષય છે. જે મતિ-શ્રુતજ્ઞાન કેવલી ભગવાનને નથી. તેથી જ અન્ય અન્ય દર્શનકારોએ કલ્પનાઓ જ કરી છે. (બુદ્ધિના ઘોડા ન દોડાવ્યા છે) તેથી તે યથાર્થવાદ નથી. માટે તે સર્વે મિથ્યાત્વ છે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા પ્રરૂપિત સદસત્કાર્યવાદ અને ભેદભેદવાદ જ યથાર્થવાદ છે અને તે જ સાચું સ્વરૂપ હોવાથી સમ્યકત્વ છે. ર૭ા
સર્વે પણ નય સમ્યક્ત સ્વરૂપ ક્યારે હોય છે? અને મિથ્યાત્વ સ્વરૂપ ક્યારે હોય છે ? તે સમજાવે છે
णिययवयणिज्जसच्चा, सव्वनया परवियालणे मोहा । ते उण ण दिट्ठसमओ, विभयइ सच्चे व, अलिए वा ॥२८॥ (निजकवचनीयसत्याः सर्वनयाः परविचालणे मोघाः । H: પુનર્ન ઈસમય:, વિમગતિ સત્ય વાડત્નિા વા .ર૮)
ગાથાર્થ - સર્વે પણ નયો પોત પોતાની માનેલી માન્યતામાં વર્તે તો તે સાચા છે. પરંતુ પરનયે (બીજા નયે) માનેલી વિચારણામાં (નિષેધ કરવા સ્વરૂપે) માથું મારે તો તે સર્વે પણ નયો મિથ્યા છે. આ કારણ થી જ “આ નયો સાચા જ છે. અથવા આ નયો ખોટા જ છે” આવો વિભાગ જે પંડિત કરે છે તેણે જૈનસિદ્ધાન્ત બરાબર જોયો નથી (અથવા આવો વિભાગ જે નથી કરતો, તે જ સાચો જૈન શાસ્ત્રોનો જ્ઞાતા છે.) li૨૮
વિવેચન - સર્વે પણ નયો જ્યાં સુધી પોત પોતે માનેલી માન્યતાને રજુ કરવાની મર્યાદામાં વર્તે છે. ત્યાં સુધી તે બધા નયો સાચા છે. કારણ કે તે નયની અપેક્ષાએ તે તે સ્વરૂપ તે તે પદાર્થમાં અવશ્ય છે. જેમ કે દ્રવ્યાર્થિકનય સામાન્યને (અભેદને) માને છે. તો સઘળા પણ પદાર્થો ઈતર પદાર્થની સાથે કોઈને કોઈ ધર્મની અપેક્ષાએ સમાન છે જ, અભિન્ન છે જ, કારણમાં કાર્ય સત્ છે અને થાય છે એમ આ નય માને છે અને ખરેખર જગતમાં તેમ પણ છે. તલમાં તેલ છે તો જ નીકળે છે. માટીમાં ઘટ છે તો જ થાય છે. તખ્તઓમાં તિરોભાવે પટ છે તો જ બને છે. સત્તાગત રીતે કારણમાં કાર્ય છે અને થાય છે. આ રીતની દ્રવ્યાર્થિકનયની જે માન્યતા છે તેને જ માત્ર જો તે નય રજુ કરે પણ બીજાનું ખંડન ન કરે તો વસ્તુસ્વરૂપ તેવું પણ હોવાથી તે નય સાચો છે. તેવી જ રીતે પર્યાયાર્થિક નય વિશેષવાદી છે. ભેદને પ્રધાન કરનાર છે. પર્યાય તરફ દૃષ્ટિવાળો છે. તેથી સઘળા પણ પદાર્થોને ઈતર પદાર્થથી કોઈને કોઈ ધર્મની અપેક્ષાએ ભિન્ન સ્વરૂપે જાએ છે. વિશેષ સ્વરૂપે માને છે. આમ માનતો તે નય પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org